- અરવલ્લી નારી સંરક્ષણ ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ભાગી ગઈ
- પોક્સો કેસમાં સગીરાને ચિલ્ડ્રન હોમમાંથી રખાઈ હતી
- 15 એપ્રિલે બારી કૂદી ભાગી ગયા પરિજનોની કરી જાણ
મોડાસા ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ સેન્ટરમાંથી એક સગીરા ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો હતો, બાજુમાં કપડાં સૂકવવા ગઈ તે સમયે એક સગીરા નાસી છૂટી, પોકસોના કેસમાં ભોગ બનેલી સગીરા છેલ્લા ઘણા સમયથી સંરક્ષણ ગૃહમાં રખાઈ હતી આશ્રયમાં, ઘટનાને લઈ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.તો સગીરાના માતા-પિતાએ અરવલ્લી પોલીસ વડાને રજૂઆત કરી છે.
શું હતો સમગ્ર કેસ
પ્રાતિજ તાલુકાના બાલીસણા ગામની સગીરાને પોક્સો કેસમાં કોર્ટના હુકમથી અરવલ્લી જિલ્લાના મોડાસા ચિલ્ડ્રન હોમમાં મોકલી અપાઇ હતી.ગત ૧૫ એપ્રિલ ના રોજ ચિલ્ડ્રન હોમની બારી કૂદી સાંજના 6 વાગે સગીરા ભાગી ગયાની જાણ વાલીને કરતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.ચિલ્ડ્રન હોમના કબ્જામાંથી સગીરા ભાગી જતા માતા પિતાએ અરવલ્લી પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે,સાથે સાથે પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.
નારી સંરક્ષણ ગૃહમાં બાળકીઓને પરણાવામાં પણ આવે છે
નારી સંરક્ષણ ગૃહમાં સામાજિક ઉપક્ષિત અને અગમ્ય કારણોસર ઘરથી વિખૂટી પડેલી બહેનોને આશ્રય આપવામાં આવે છે. આ ઉપરાંત જન્મથી તરછોડાયેલી બાળકીઓ, અનાથ કન્યાઓને પણ ઉંમરલાયક થાય ત્યાં સુધી કાળજી પૂરી પાડવામાં આવે છે. નારી સંરક્ષણ ગૃહ દ્વારા લગ્નની ઉંમરે પહોંચેલી બહેનોને સરકારના ધારાધોરણ મુજબ પરણાવામાં પણ આવે છે. હવે સમાજમાં કન્યાઓની અછતને પરિણામે ઉંમરલાયક ઉમેદવારો નારી સંરક્ષણ ગૃહને એક વિકલ્પ તરીકે જુએ છે.
સરકાર પણ મહિલાઓને લઈ અગ્રેસર
ગુજરાત સરકારના વર્ષ 2024ના બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મહિલાઓને આર્થિક એમ જ સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યમાં 65 સેન્ટર કાર્યરત છે. આ યોજનાની ઉપયોગિતા અને અસરકારકતા જોતાં 15 નવા સેન્ટર શરૂ કરવામાં આવશે.


