- બોટાદ LCB પોલીસે ગઢડામાથી બાયોડીઝલ જેવું કેમિકલ ઝડપ્યું
- ગઢડાના ગઢાળી રોડ પર વાડીમાંથી ઝડપ્યું કેમિકલ
- બે વ્યકિત સામે નોંધાયો ગુનો
ગુજરાતના ગામડાઓમાં બાયોડીઝલના વેચાણનો ગોરખધંધો જોરશોરથી ચાલી રહ્યો છે,કોના નાક નીચે આ ધંધો ચાલી રહ્યો છે તે સૌ કોઈ જાણે જ છે.બાયોડીઝલનો ઉપયોગ આંતરીયાળ ગામના લોકો સૌથી વધારે કરતા હોય છે,ખાસ કરીને જયા પેટ્રોલપંપ દૂર હોય તેવા ગામડામાં લોકો બાયોડીઝલનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે,પોલીસે ગુજરાતમાં ઠેર-ઠેર બાયોડીઝલના કાળા કાળોબારને ઉઘાડો કર્યો છે,તેમ છત્તા અમુક વ્યકિતઓ ખાનગી રીતે આ બાયોડીઝલનું વેચાણ કરતા હોય છે.બોટાદના ગઢડામાંથી બોટાદ LCB એ આજે પીકઅપ વાનમા જવનશીલ પદાર્થ ભરેલા 11 બેરલો 2150 લીટર, તેમજ વાડિમા ફાયબરના ટાકામા 2000 લીટર જવનશીલ કેમિકલ મળી કુલ 8 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
ડીઝલ અમુક ક્રુડ ઓઈલમાંથી બને છે
પેટ્રોલ અને ડીઝલ વાહનો માટેનાં મુખ્ય બળતણ છે. જો કે બંનેના એન્જિનમાં થોડો ફરક હોય છે. ડીઝલ પણ ક્રુડ ઓઈલમાંથી બને છે. ડિઝલ વડે ચાલતા એન્જિનની શોધ રૂડોલ્ફ ડીઝલ નામના વિજ્ઞાનીએ કરેલી. ડીઝલનો હેતુ વનસ્પતિ તેલ વડે ચાલતા એન્જિન બનાવવાનો હતો. તેણે સીંગતેલ વડે ચાલતું એન્જિન બનાવેલું. શરૂઆતમાં સીંગતેલ વડે જ એન્જિન ચાલતું પરંતુ ડીઝલે ક્રૂડમાંથી ડીઝલ મેળવવાની રીત શોધી એન્જિનમાં ડીઝલનો વપરાશ શરૂ કર્યો. ડીઝલમાં અશુધ્ધિનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ પેટ્રોલ કરતાં પ્રમાણમાં સસ્તું હોય છે. પેટ્રોલ અને ડીઝલ બળે ત્યારે પ્રદૂષિત વાયુઓ પેદા થાય છે અને પર્યાવરણને નુકસાન કરે છે. એટલે વિજ્ઞાનીઓ વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના સ્થાને ઓછું પ્રદૂષણ કરે તેવા બળતણની શોધ કરે છે.
જાણો બાયોડિઝલ કોને કહેવાય
વનસ્પતિના તેલ ડીઝલને સ્થાને વપરાય તેને બાયોડિઝલ કહે છે. બાયો એટલે સજીવને લગતું. વનસ્પતિ સજીવ છે તેના તેલ બળે ત્યારે ઓછું પ્રદૂષણ કરે છે. થોડા પ્રમાણમાં ડીઝલ સાથે તે મેળવવાથી ઓછું પ્રદૂષણ થાય છે. સૂર્યમુખી, સોયાબીન, કપાસિયા વગેરેના તેલમાંથી બાયોડીઝલ બને છે. બાયો ડીઝલમાં વધુ પ્રમાણ ડીઝલનું હોય છે. વનસ્પતિ તેલનું પ્રમાણ ૧૫ થી ૨૦ ટકા જ હોય છે. પરંતુ પ્રદૂષણ ઓછું કરવા માટેનો સારો વિકલ્પ ગણાય છે.


