- વડાલી લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટન વખતે રાજપૂત સમાજે કર્યો વિરોધ
- રોડ રસ્તા પર બેસી અને બેરિકેટ હટાવી નોંધાવ્યો વિરોધ
- સાબરકાંઠામાં ભાજપ કાર્યાલયનો વધુ એક વિરોધનો વંટોળ
ગુજરાતમાં રૂપાલાનો વિરોધ દિવસને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે સાબરકાંઠાના વડાલીમાં લોકસભા કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે રાજપૂત સમાજજે જોરદાર વિરોધ નોધાવ્યો હતો,ભાજપ કાર્યાલયનો વિરોધ કરાતા જિલ્લા સંગઠન પણ અવઢવમાં મૂકાયું છે.પોલીસ બંદોબસ્ત હોવા છતાં થયો વિરોધ થતા દોડધામ મચી હતી,પૂર્વ મંત્રી રમણલાલ વોરાને પણ લોકોએ ઘેરી લીધા હતા.તો સામે રમણલાલ વોરા પણ દોડતા દેખાયા છે.વિકીબાપુ નામના વ્યક્તિને ભવાનગઢના બિનધિકૃત રીતે થયેલ અટકાયત બાબતે વડાલી પોલીસ સ્ટેશન આગળ પણ વિરોધ પ્રદર્શન કરાયો હતો,રોડ રસ્તા પર બેસી અને બેરિકેટ હટાવી પોતાનો વિરોધ નોંધાવ્યો
ભાજપના નેતા રમણલાલ વોરા સામે વિરોધ
એક વિડીયો સામે આવ્યો છે જેમાં રમણલાલ વોરા વિરોધ કરનારા લોકોની સામે દોડતા જતા હોય તેવું દેખાય છે,રમણ વોરાના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ રુપાલાનો વિરોધ કરવા ગયા હતા,રમણલાલ વોરાને પોલીસે રોકતા તે સાઈડમાં ઉભા રહી ગયા હતા.કાર્યાલયના ઉદ્ધાટન વખતે જ આ વિરોધ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા.રમણલાલ વોરા શા માટે અચાનક ઉગ્ર થઈ ગયા તે પણ એક સવાલ છે.એક નેતા તરીકે આવી રીતે દોડવું એ શુ સૂચવે છે?
શોભાના બારૈયા સામે પણ ક્ષત્રિયોનો વિરોધ
પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ ક્ષત્રિય સમાજ દ્વારા હવે ખુલ્લો વિરોધ કરાઈ રહ્યો છે. વિરોધ રૂપાલાનો થઈ રહ્યો છે પરંતુ ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા નિશાન બની રહ્યા છે. બુધવારે ઈડર ખાતે ભાજપે શરૂ કરેલ ચૂંટણી કાર્યાલય ઉપર ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચી ગયા હતા અને કાળા વાવતા ફરકાવી હોબાળો મચાવ્યો હતો બીજી બાજુ ઈડર ધારાસભ્ય વડાલી ખાતે નિકળેલ ભગવાન રામલલાની શોભા યાત્રામાં પહોંચતા બજરંગ દળના કાર્યકર સાથે અગાઉ ફોન પર થયેલ રજકને મુદ્દો બનાવી વિરોધ થતાં શોભનાબેનને પણ દર્શન કરી રવાના થવા મજબૂર બનવું પડયું હતું.
રમણલાલ પર પહેલા પણ આદિવાસી સમાજે કર્યો હતો વિરોધ
સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો હતો. ઈડરના ધારાસભ્ય રમણ વોરા પર અપશબ્દો બોલ્યાનો આરોપ લાગ્યો હતો. રમણ વોરા સામે આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને લઈને વિરોધ શાંત થયો ન હતો ત્યાં વધુ કે એક વિવાદ વકર્યો હતો. જિલ્લા પંચાયતના સભ્યો અને ધારાસભ્ય રમણલાલ વોરા વચ્ચે વિવાદ વકર્યો હતો. ધારાસભ્ય રમણલાલ વોરાએ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતીના ચેરમેન અનસુયાબેન ગામેતીને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કર્યો થયો હતો. જેને લઈને આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો. આ બાબતે રમણલાલ વોરા જાહેરમાં માફી માંગે તેવી આદિવાસી સમાજે માંગ કરી હતી. તેમજ ધારાસભ્યના ઘરનો ઘેરાવો કરવાની ચિમકી આપી હતી.


