- રાવલપિંડીની 27 વર્ષીય મહિલા જિનત વહીદે એકસાથે છ બાળકોને જન્મ આપ્યો
- તબીબો પણ છ બાળકોના જન્મને લઈ મોંમાં આગળાં નાખી દીધા
- છ બાળકોમાં ચાર છોકરા અને બે છોકરીઓ હાલ તંદુરસ્ત સ્થિતિમાં
પાડોશી દેશ પાકિસ્તાનમાં એક પ્રસૂતાએ કમાલ દેખાડ્યો છે. જીહા..માત્રને માત્ર એક કલાકમાં છ બાળકને જન્મ આપી દેતા આ સમગ્ર ઘટના હાલ ચર્ચામાં છે. આ તમામ છ બાળકો અને પ્રસૂતા હાલ તંદુરસ્ત અને જીવિત છે. એક કલાકના અંતરે જીતન વહીદ નામની મહિલાએ એક પછી એક છ બાળકોને જન્મ આપ્યો હતો. જેથી આ ઘટનાને જોઈ તબીબો પણ ચોંકી ગયા છે. મળતી માહિતી અનુસાર, 27 વર્ષની આ પરિણીતાએ રાવલપિંડીની જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં આટલા બધાં બાળકોને એકસાથે જન્મ આપી દીધો હતો. નવજાત શિશુઓમાં ચાર છોકરા અને બે છોકરી છે. દરેકનું વજન બે પાઉન્ડથી ઓછું છે.
હોસ્પિટલના મુખ્ય તબીબ સુપ્રીટેન્ડન્ટ ડૉ.ફરઝાનાએ જણાવ્યું કે છ બાળકો અને તેમની માનું આરોગ્ય સારું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે વહીદની પત્ની જિનત વહીદે એક કલાકની અંદર છ બાળકને જન્મ આપ્યો છે. આ જિનતની પ્રથમ પ્રસૂતિ છે. ગત રાત્રે પ્રસવ પીડા ઉપડ્યા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ બાળકોને ઈનક્યૂબેટરમાં રાખ્યા છે. તબીબે વધુમાં કહ્યું કે બાળકોને જન્મ આપ્યા પછી જિનતને થોડીક તકલીફ થઈ પરંતુ બે દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. હોસ્પિટલના લેબર રૂમમાં ડ્યૂટી ઓફિસરે કહ્યું કે આ સામાન્ય પ્રસૂતિ નહોતી. પ્રસવ ક્રમમાં જન્મ લેનાર પ્રથમ બે બાળક છોકરા હતા. અને ત્રીજા નંબરે બાળકી હતી. આ દરમિયાન તબીબે મીડિયા સાથે વાત કરી હતી. જિનતના પરિવારજનોએ બાળકોના જન્મ નિમિત્તે ખુશી વ્યક્ત કરી હતી.
આ ચમત્કાર કેવી રીતો થયો
એવું માનવામાં આવે છે કે દર 4.5 મિલિયન ગર્ભાવસ્થામાં માત્ર એકમાં જ સેક્સટુપ્લેટ્સ જન્મે છે. આટલી મોટી સંખ્યામાં બાળકોનો જીવંત જન્મ એક દુર્લભ ઘટના છે. સ્ત્રી એક જ સમયે બે કે તેથી વધુ ગર્ભ સાથે ગર્ભવતી થઈ શકે છે. જ્યારે ગર્ભાશયમાં રોપવામાં આવે તે પહેલાં ફળદ્રુપ ઇંડાનું વિભાજન થાય છે (જેમ કે સમાન જોડિયાના કિસ્સામાં છે) અથવા જ્યારે જુદા જુદા ઇંડાને જુદા જુદા શુક્રાણુઓ દ્વારા ફળદ્રુપ કરવામાં આવે છે ત્યારે ભ્રાતૃ જોડિયા બને છે.
તાજેતરના વર્ષોમાં, ઓવ્યુલેશન-સ્ટિમ્યુલેટીંગ દવાઓ અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) જેવી પ્રજનન તકનીકો બહુવિધ ગર્ભાવસ્થાને કારણભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ઓવ્યુલેશન-ઉત્તેજક દવાઓ ઘણા ઇંડા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. સ્ટેનફોર્ડ મેડિસિન અનુસાર, જો તેઓ ફલિત થાય છે, તો તેઓ બહુવિધ બાળકોમાં પરિણમી શકે છે. આ જ કારણ ઝીનતના કેસમાં પણ હોઈ શકે છે.


