- વાગરાના ધારાસભ્ય સહિતનાની લગ્નોત્સવમાં હાજરી
- સમૂહ લગ્નોત્સવમાં 13 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા
- 19માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું
18 વર્ષથી સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ ભરૂચના નવેઠા ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 19મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં સમાજના કુલ 13 નવ યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા હતા
ભરૂચ જિલ્લામાં કાર્યરત સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરીને સમાજના લોકોના ઉત્થાન માટે અનેક કાર્યો કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં ભરૂચના નવેઠા ગામ ખાતે 19માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું.જેમાં સમાજના કુલ 13 નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રભુતામાં પગલા માંડયા હતા.આ સમૂહ લગ્નોત્સવમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, અને માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ધનજીભાઈ પરમાર, દહેજ ઇન્ડ.એસોસિએશનના પ્રમુખ સુનિલભાઈ ભટ્ટ, બલદેવભાઈ આહીર, સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિ પરમાર સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.


