- સુરતમાં ફોર્મ રદ થવા મુદ્દે પણ પ્રતાપ દૂધાતે આક્રોશ વ્યક્ત કર્યો
- રાહુલની નપુંસકતાની ભાયાણીને કેવી રીતે ખબર પડી?: પ્રતાપ દૂધાત
- ભાયાણીના ઘરમાંથી કોઈ રાહુલ ગાંધી પાસે ગયું હતું?
ભૂપત ભાયાણીના નિવેદન પર કોંગ્રેસમાં ભારે રોષ છે. જેમાં રાહુલ ગાંધી પર ટિપ્પણીથી પ્રતાપ દૂધાત કાળઝાળ થયા છે. તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાયાણી પર પ્રહાર કર્યા છે. પ્રતાપ દૂધાતે જણાવ્યું છે કે રાહુલ ગાંધીની નપુંસકતાની ભાયાણીને કેવી રીતે ખબર પડી?.
ભાયાણીના ઘરમાંથી કોઈ રાહુલ ગાંધી પાસે ગયું હતું? પ્રતાપ દૂધાત
પ્રતાપ દૂધાતે જણાવ્યું છે કે ભાયાણીના ઘરમાંથી કોઈ રાહુલ ગાંધી પાસે ગયું હતું? સુરતમાં ફોર્મ રદ થવા મુદ્દે પણ પ્રતાપ દૂધાતે આક્રોશ વ્યક્ત કર્યો છે. જેમાં જણાવ્યું છે કે નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. હવે સુરતમાં કાં તો પ્રતાપ દૂધાત રહેશે કાં તો એ રહેશે. અમરેલીમાં ભૂપત ભાયાણી દ્વારા રાહુલ ગાંધી પર થયેલી ટીપ્પણીથી કોંગ્રેસમાં ભારે રોષ છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત આગ બબુલા થયા છે. જેમાં કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે પ્રતાપ દુધાતે જણાવ્યું છે કે રાહુલ ગાંધી વિષે ટિપ્પણી કરનાર ભૂપત ભાયાણીને કેમ ખબર પડી.?
પ્રતાપ દુધાતના નિવેદનને કોંગ્રેસના કાર્યકરોએ તાળીઓથી વધાવ્યો
પ્રતાપ દુધાતના નિવેદનને કોંગ્રેસના કાર્યકરોએ તાળીઓથી વધાવ્યો છે. સુરત ફોર્મ રદ થવા મુદ્દે પણ પ્રતાપ દુધાતએ આક્રોશ વ્યક્ત કર્યો છે. નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહી છોડું. કોંગ્રેસના ઉમેદવાર અને ત્રણ ટેકેદારને જે કોઠીમા છુપાવું હોય ત્યાં છુપાઈ જાય. સીઆર પાટીલના ઘરે રહેવા જવુ હોય તો જતા રેજો. હવે સુરતમાં કાં તો પ્રતાપ દુધાત રહેશે કાં તો એ રહેશે તેવુ નિવેદન આપ્યુ છે.


