- વેરાવળ ખાતે યોજાઇ સાગર પુત્ર માછીમાર સમાજની સભા
- ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં જાહેર સભા
- માછીમારોની સબસીડીમાં સહાયરૂપ થવા કેન્દ્ર સરકારને અપીલ
જુનાગઢ 13 લોકસભાની ચૂંટણી ધીમે ધીમે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે લોકો ઉમેદવારોને કાનમાં નહીં પણ જાહેર સભામાં માઇક પર રજૂઆતો કરતા થયા છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વસતા માછીમારો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. તેમ છતાં અનેક સમસ્યાઓ રહી છે તે આજે વેરાવળમાં જાહેર સભામાં જ આગેવાનોએ સમસ્યાઓ કહી સંભળાવી હતી અને ઉમેદવાર રાજેશ ચુડાસમાએ સાંભળવી પણ પડી હતી.
વેરાવળ શહેરમાં લોકસભા જુનાગઢ 13ના સાંસદ અને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં આજે સાગર પુત્ર માછીમાર સમાજની એક વિશાળ સભા યોજાઇ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા ડીઝલ સબસીડી યોગ્ય રીતે અપાય રહી છે. પરંતુ કેન્દ્ર સરકાર પણ જો માછીમારોની સબસીડીમાં સહાયરૂપ નહીં થાય તો માછીમારી વ્યવસાય પડી ભાંગે તેવી સ્થિતિ ની સ્પષ્ટતા ઓલ ઇન્ડિયા ફિશ સપ્લાય એક્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ જગદીશ ફોફંડી એ જાહેરમાં કરી અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી.

માછીમાર આગેવાન જગદીશ ફોફંડીએ વધૂ માં જણાવ્યું હતું કે જેમ ખેડૂતોને તેમના ઉત્તરાધિકારી ખેડૂતોને સરકારી હક અને સહાય આપે છે. તેમ હાલના તબક્કે અનાદિકાળથી માછીમારી કરતા ખારવા સમાજ અને કોળી સમાજ સિવાયના અનેક સમાજો પણ માછીમારી વ્યવસાયમાં જોડાયા છે જેનો અમને કશો વાંધો નથી. પરંતુ સરકાર તરફથી પરંપરાગત જે માન્યતા મદદ અને હકો અમોને મળવા જોઈએ તે અમોને મળતા નથી. આ સહિત અનેક સમસ્યાઓ હાલ માછીમારો ભોગવી રહ્યા છે જો કેન્દ્ર સરકાર યોગ્ય સહયોગ નહીં કરે તો માછીમારી વ્યવસાય મૃત ઉપાય બની જશે.


