By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૪૦ ટકા લોકોને હવે લોકશાહિમાંથી રસ ઉડી ગયો છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

૪૦ ટકા લોકોને હવે લોકશાહિમાંથી રસ ઉડી ગયો છે

agragujaratnews
Last updated: 2024/05/08 at 7:32 PM
1 year ago
Share
૪૦ ટકા લોકોને હવે લોકશાહિમાંથી રસ ઉડી ગયો છે
SHARE

રાજકિય પક્ષો,ચૂંટણી પંચ,ન્યાયતંત્ર અને પોલીસી મેકર પ્રજા વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ

ગુજરાતમાં સરેરાશ ૫૯.૪૯ ટકા મતદાન :અમરેલીમાં સૌથી કંગાળ ૪૯ .રર ટકા તથા રાજકોટકમાં પ૯.૬૦ ટકા કંગાળ નબળુ વોટીંગ

જીસકા ડર થા વો હિ બાત હો ગઇ. અંતે ગુજરાતમાં લોકસભાની રપ બેઠક ઉપર ગઇ કાલે તારીખ ૭ મેના રોજ મતદાન થઇ ગયુ. મતદાન પૂર્વે જ કંગાળ મતદાન થવાની સહુને આશંકા હતી.ગુજરાતનું સરેરાશ મતદાન પ૯.૪૯ ટકા થયુ. ચૂંટણી પંચે રાત્રે સાડા બાર વાગ્યે જ મતદાનના ફાઇનલ આંકડા જાહેર કરી દીધા. ગુજરાતમાં સહુથી ઓછુ મતદાન અમરેલીમાં માત્ર ૪૯.રર ટકા નોંધાયુ છે. સહુથી વધુ મતદાન વલસાડમાં ૭ર.ર૪ ટકા નોંધાયુ છે. ઓછા મતદાન માટે ગરમી ઉપર માટલું ફોડવામાં આવે છે. પરંતુ સત્ય હકિકત એ છે કે ગુજરાતમાં ૪૦ ટકા લોકોને હવે લોકશાહિની આ પ્રણાલી અને ખાસ તો મતદાન પ્રક્રિયા ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. આ માટે પ્રજા બીજો વિકલ્પ ન શોધે ત્યાં સુધી સહુથી વધુ જવાબદાર પોતે જ છે. હાલમાં તમારી પાસે વૈકલ્પિક સિસ્ટમ ન હોય ત્યાં સુધી આ સિસ્ટમમાં રહીને જ તમારા મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકયત: પરિવર્તન કરવું જોઇએ.

Contents
રાજકિય પક્ષો,ચૂંટણી પંચ,ન્યાયતંત્ર અને પોલીસી મેકર પ્રજા વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળગુજરાતમાં સરેરાશ ૫૯.૪૯ ટકા મતદાન :અમરેલીમાં સૌથી કંગાળ ૪૯ .રર ટકા તથા રાજકોટકમાં પ૯.૬૦ ટકા કંગાળ નબળુ વોટીંગ

જો કે, પ્રજા બચ્ચાડી એકલી જ જવાબદાર નથી. ઓછા મતદાન માટે અવિશ્વાસના દાયરામાં આવી ચુકેલા ચૂંટણી પંચને અને તેના વર્તમાન ટોચના અધિકારીથી સ્થાનિક ઇ.સી.ને સરખા ભાગે જવાબદાર ગણી શકાય. તેઓ પ્રજાભીમુખ ચૂંટણી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું ચુકયા છે. તેને બદલે તેમણે સતાભિમુખ ચૂંટણી વ્યવસ્થા તંત્રને પનપવા દીધુ. ગુજરાતમાં સુરતમાં ચૂંટણી જ ન થઇ તેને માટે સૌથી મોટી જવાબદારી ચૂંટણી તંત્રની છે. ૧૮ લાખ મતદારોના મતદાનના અધિકાર ઉપર તરાપ મારવી એ લોકશાહિનું નિર્મમ ખૂન છે. તેના ભાગીદારોમાં સતાધારી ભાજપ પક્ષ પ્રથમ તકસીરવાન છે. જયારે બીજા નંબરે વિરોધ પક્ષ કોંગ્રેસની બેદરકારી,ભોળપણ,મેળાપીપણુ જે કહો તે જવાબદાર રહયુ. આવી તકે લોકો ન્યાય તંત્ર ઉપર મીટ માંડે. ન્યાય તંત્ર સુધી કોઇ ન ગયુ. એ કોંગ્રેસના મગરના આંસુ કહી શકાય. કપીલ સિબ્બલ,પ્રશાંત  જેવા કોગ્રેસ સમર્થીત વકિલોની ફોજ આતંકવાદીઓને છોડાવવા અડધી રાત્રીના કોર્ટના દરવાજા ખખડાવી ચુકયા છે. તેમની કોંગ્રેસે મદદ શા માટે ન લીધી એ સવાલ છે. ન્યાય તંત્રમાં પણ ટોચ ઉપર કેટલાક સારા જજમેન્ટ આવ્યા છે એટલે હજુ લોકવિશ્વાસ જળવાઇ રહયો છે. પરંતુ આ કિસ્સામાં આપણી સમગ્ર સિસ્ટમ પેરેલાઇઝ થઇ ગઇ.

કંગાળ મતદાનની વાત ઉપર પુન: પરત ફરીએ તો જયારે ૪૦ ટકા ઓછુ મતદાન થયુ ત્યારે તેના કારણોમાં સૌ પ્રથમ આ વખતે ચૂંટણી તંત્રએ શેરો શાયરી બહુ કરી.પરંતુ જમીની મામલામાં શાહમૃગી નીતિ અપનાવી. પ્રથમ બે તબકકાના પરિણામો જાહેર કરવામાં અસહ્ય અને આશંકિત કરે તેવો વિલંબ, વિરોધ પક્ષો દ્વારા સતાધારી પક્ષ સામે આચાર સંહિતાની ફરિયાદોને ફાઇલ કરી દેવા અને ફાલતું જવાબ આપવા સિવાય ચૂંટણી તંત્રએ કોઇ મહોર નથી મારી. જયારે ચૂંટણી તંત્ર પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે શાસક પક્ષના દબાવ,લોભ,લાલચમાં આવવા માંડે એવુ પ્રજાને લાગે ત્યારે લોકો સંઘર્ષના માર્ગે વળવાને બદલે શરણાગતિનો માર્ગ પસંદ કરી લ્યે છે. કારણ કે સરેરાશ સામાન્ય વર્ગનો માણસ શાંતિપ્રિય છે. તેમને સરકાર સાથે,પોલીસ તંત્ર અને રાજકિય માફિયાઓ સાથે સંઘર્ષ કરવાની તૈયારી અને ત્રેવડ નથી હોતી. આવા સંજોગોમાં નિરાશ સમુહ મતદાન ન કરી તેમનો અણગમો,અસહકાર,રોષ,અવજ્ઞા વગેરે વ્યકત કરે છે. કદાચ તેમની આ રીત લોકશાહિ માટે ઘાતક છે. પરંતુ જાહેરમાં મતદાનની અપીલ કરતાં રાજકિય પક્ષો ખાનગીમાં તેમના વિરોધી મતદારોને અંકુશમાં રાખે છે. જો તેમની વિરુધ્ધ જાય એવુ મતદાન હોય તો એવા આખા વર્ગને મતદાનથી અળગો રાખવા પ્રયાસ કરે છે.

દેશના ૯૭ કરોડ લોકો માટે ચૂંટણી તંત્ર અબજો –અબજો રૂપિયા ખર્ચ કરીને નિષ્પક્ષ અને નિર્ભિક ચૂંટણીની વ્યવસ્થા કરે છે. પરંતુ ચૂંટણીનો જુનો ઇતિહાસ લોહિથી ખરડાયેલો હતો. સુરક્ષાના મામલે પરિસ્થિતિ છેલ્લી ચૂંટણીઓથી સુધરી છે. આ બાબતનો સ્વીકાર કરવો પડે. પરંતુ સતાની નાગચુડમાંથી ચૂંટણી પંચ બહાર નથી રહયુ. જેથી મતદાન અંતે તો ઘેરાયેલો છે. જો ચૂંટણીમાં મતદાનની ટકાવારી આ રીતે૬૦ ટકાથી ઓછી થવાની  હોય તો ભવિષ્યમાં હાલ થતી ચૂંટણી વ્યવસ્થા સામે મોટા ફેરફારો આવી રહયા છે. જેને કારણે સિસ્ટમમાં પણ ફેરફાર લાવવા પડશે. દેશને હવે એક સ્વતંત્ર ચૂંટણી પંચ જોઇએ છે જે સતાધારી પક્ષની ચાંપલુસી ન કરે. લોકોનો વિશ્વાસ વધારે એવી અપેક્ષા છે.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર
હેલ્થ

Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર

By 4 days ago
Health : પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
Health News : હાર્ટ પર દબાણ અને શ્વાસ ચઢવો, હોઈ શકે હાર્ટએટેકનું લક્ષણ, એકલા હોવ તો જોખમ ટાળવા આ કામ જરૂર કરો
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?