- તાલાલામાં નોંધાયું ભૂકંપનું કેન્દ્ર બિંદુ
- 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
- સાંજે 5.33 કલાકે નોંધાયો ધરતીકંપ
ગુજરાતની ધરતી છેલ્લા કેટલાય સમયથી સતત ભૂકંપના આંચકાઓનો અનુભવ કરી રહી છે. પહેલા કચ્છ બાદ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે હવે જુનાગઢ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
મળતી માહિતી મુજબ, જુનાગઢ જિલ્લાના ઘણા વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2ની માપવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે સાંજે 5.33 કલાકે અનુભવાયેલ આ ભૂકંપનું કેન્દ્ર તાલાલામાં નોંધાયું હતું. તો, ભૂકંપનો અનુભવ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો તાબડતોબ ઘરોની બહાર દોડી આવ્યા હતા.


