- ડૂબી જવાથી મોતને ભેટેલા વધુ 4 લોકોની અંતિમવિધિ
- પરિવારના 4 સભ્યોની અંતિમવિધિમાં સમાજ હીબકે ચડ્યો
- ત્રિવેણી સંગમમાં નાહવા માટે ગયેલા 8 લોકો ડૂબ્યા હતા
પોઈચાના ત્રિવેણી સંગમમાં દુઃખદ ઘટના બની છે. જેમાં ડૂબી જવાથી મોતને ભેટેલા વધુ 4 લોકોની અંતિમવિધિ કરવામાં આવી છે. પરિવારના 4 સભ્યોની અંતિમવિધિમાં સમાજ હીબકે ચડ્યો છે. તેમાં ત્રિવેણી સંગમમાં નાહવા માટે ગયેલા 8 લોકો ડૂબ્યા હતા. એકનો બચાવ થયો પણ 7 લોકો કાળનો કોળિયો બની ગયા હતા.
બલદાણિયા પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળ્યા
સુરતના પોઈચા ખાતે ત્રિવેણી સંગમ ખાતે બનેલી દુઃખદ ઘટનામાં બલદાણિયા પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળ્યા હતા. મોડી રાત્રે 3 બાળક સહિત 4 લોકોની અંતિમવિધિ કરવામાં આવી છે. તેમાં મોડી રાતે અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરવામાં આવી છે. હજારો લોકો અંતિમ વિદાયમાં શ્રદ્ધાંજલિ આપવા આવી પહોંચ્યા હતા. ત્રિવેણી સંગમમાં નાહવા માટે ગયેલા 8 લોકો ડૂબ્યા હતા. જેમાં સુરતના સણીયા હેમાદ ગામની ક્રિષ્નાપાર્ક સોસાયટીના 8 લોકો પોઈચા ખાતે પાણીમાં ડૂબી ગયા હતા.
ત્રણ દિવસની શોધખોળમાં બીજા મૃતદેહ મળ્યા
ત્રણ દિવસની શોધખોળમાં બીજા મૃતદેહ મળ્યા હતા. બલદાણિયા પરિવારના ચાર સભ્યોની અંતિમવિધિમાં સમાજ હીબકે ચઢ્યો હતો. ત્રિવેણી સંગમમાં નાહવા પડતા આઠ લોકો તેમાં ડૂબી ગયા હતા. જેમાં એકનો તો બચાવ થયો પણ સાત લોકો કાળનો કોળિયો બની ગયા હતો.
જાણો સમગ્ર ઘટના
ચાંણોદ પાસે પોઇચા ખાતે આવેલી નર્મદા નદીમાં નાહવા પડેલા આઠ પ્રવાસીઓ ડૂબ્યા હતા. આ પ્રવાસીઓ મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા હતા. આ લોકોને બચાવવા માટે સ્થાનિક નાવિકો પણ નદીમાં કૂદ્યા હતા. સ્થાનિકોએ ડૂબી રહેલા લોકોમાંથી એક વ્યક્તિને બચાવ્યો છે. રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો આ લોકોના રેસ્ક્યૂ માટે પોઇચા પહોંચ્યા હતા.


