- કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યા 181થી વધીને 250 થઈ
- સિંગાપુરમાં 11 મે પછી કોવિડ-19 મહામાહીની સંખ્યામાં સતત વધારો
- લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી
ફરી એકવાર વિશ્વ પર કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. સિંગાપુરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોએ વિશ્વના બીજા દેશોમાં પણ ડર પેદા કર્યો છે. કોરોના વાયરસની એક નવી લહેર આવી છે, શું ફરી કોરોના વિશ્વમાં હાહાકાર મચાવશે. આવા ઘણાબધા સવાલો લોકોને થઈ રહ્યા છે. જેથી આ તમામ બાબતોની વચ્ચે સિંગાપુરમાં કોરોનાના વધતા દર્દીઓની સંખ્યાથી હેરાન છે. અહીં કોવિડ-19ની નવી લહેર જોવા મળી રહી છે. સતત કોવિડ-19ના કેસ વધતા જઈ રહ્યા છે. પાંચથી 11 મેની વચ્ચે 26 હજાર કેસ સામે આવ્યા છે. સિંગાપુરના આરોગ્ય મંત્રી ઓંગ યે કુંગે માસ્ક પહેરવાની લોકોને સલાહ આપી છે.
કોરોનાની નવી લહેરનું સિંગાપુરમાં આગમન
મળતી માહિતી અનુસાર, સિંગાપુરમાં કોરોના વાયરસની નવી લહેરની શરૂઆત જોવા મળી રહી છે. સિંગાપુરમાં સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી બેથી ચાર અઠવાડિયામાં કોરોનાના કેસ પોતાના ટોચ પર પહોંચી શકે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે જૂનના મધ્ય અને અંતની વચ્ચે સિંગાપુરમાં કોરોના વાયરસની એક નવી લહેર જોવા મળશે.
સિંગાપુરમાં દરરોજ કોરોનાના 250 દર્દીઓ આવી રહ્યા છે
સિંગાપુર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પાંચથી 11 મેની વચ્ચે કોવિડ-19ના સરેરાશ કેસ ગત અઠવાડિયામાં 13,700 કેસની સરખામણીમાં વધી 25,900 થઈ ગયા છે. કોરોના મહામારીના રોજના આવતા કેસ 181થી વધી આશરે 250 થઈ ગયા છે. જેથી આ હવે તંત્ર માટે આ ચિંતાનો વિષય બન્યો છે.
આરોગ્ય મંત્રાલયએ લોકોને આપી સલાહ
સતત વધતા કોરોના વાયરસના કેસોને લઈ સિંગાપુરના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, હોસ્પિટલમાં બેડની ક્ષમતાને બચાવવા નવા પગલાં ઉઠાવાઈ રહ્યા છે. જાહેર હોસ્પિટલોને વૈકલ્પિક સર્જરી અને અન્ય બાબતો ઓછી કરવાની સલાહ આપી છે. રોગીઓને ચેપીરોગીઓની સુવિધાઓને શિફ્ટ કરવાનું કહેવાયું છે. ઉપરાંત હળવા બીમાર વ્યકિતને ઘરે જ સંભાળ રાખવાનું કહેવાયું છે.
સિનિયર નાગરિકો અથવા ગંભીર બીમારી ધરાવતા લોકોને સાવધ રહેવા કહ્યું
સિંગાપુરના આરોગ્ય પ્રધાને લોકોને સચેત કરતા કહ્યું કે જેઓને ગંભીર બીમારીનો ખતરો સૌથી વધુ છે, એવા 60 વર્ષ કરતાં વધુ ઉંમરની વ્યકિત, નબળી વ્યકિત અને વૃદ્ધોને સાવધ રહેવા કહ્યું. તેમને આગળ કહ્યું કે એક હજાર બેડની ક્ષમતા ધરાવતી એક હોસ્પિટલ તૈયાર છે. જેથી આરોગ્ય સેવાઓ આગામી સમયમાં તૈયારી વધુ કરવી ન પડે.
તેમને સિંગાપુરવાસીઓને બીમાર થતા માસ્ક પહેરવા, ઘરે રહેવા અને રસીકરણ કરાવી લેવા જણાવ્યું હતું. તેમને વધુમાં કહ્યું કે સિનિયર નાગરિકો, ગંભીર બીમારીઓથી પીડિત લોકો માટે વર્ષમાં એકવાર રસીકરણ કરાવવા કહ્યું. ઉલ્લેખનીય છે કે કારણ કે તેઓને ચેપ જલ્દી પોતાની ઝપટમાં લઈ શકે છે.


