- લક્ષ્મણ ટાઉનશીપમાં લાભાર્થીના બદલે ભાડુઆતો રહેતા હોવાનું સામે આવ્યું
- ચેકિંગ દરમિયાન મનપાની કાર્યદેસરની કાર્યવાહી
- પ્રધાનમંત્રી આવાસ યોજનાના 11 આવાસો સીલ કરાયા
રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગના ચેકિંગ દરમિયાન સ્પીડવેલ પાર્ટી પ્લોટ મવડી નજીક આવેલ શ્રી લક્ષ્મણ ટાઉનશીપમાં અમુક કવાટર્સમાં મૂળ લાભાર્થીના સ્થાને ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિઓ/ભાડુઆતો રહેતા હોવાનું જાણવા મળતા નોટીસ આપવામાં આવી હતી. આ સંદર્ભે જે તે મકાનમાલિકોને નોટીસ પાઠવવામાં આવી હતી. આ પછી આસામીઓ દ્વારા લેખિત પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો. આ જવાબ યોગ્ય ન જણાતા તારીખ 20-05-2024ના રોજ 11 આવાસો મનપા આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મનપાએ આવાસ બનાવ્યા
રાજકોટ મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં બનાવવામાં આવેલા આવાસોને લાભાર્થીઓને ફાળવવામાં આવે છે. જે અંતર્ગત મનપા દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ મવડી નજીક શ્રી લક્ષ્મણ ટાઉનશીપમાં બનાવવામાં આવેલ આવાસોને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા હતા.
શું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફાયદા
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે રૂ . 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર રૂ. 1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે.


