- NSUIના શહેર પ્રમુખને માર માર્યા મામલે 3 શકમંદોની કરી અટકાયત
- સમગ્ર મામલે ત્રણેય શખ્સોની જૂનાગઢ પોલીસે કરી પૂછપરછ
- મુખ્ય સૂત્રધાર ગણેશ જાડેજા હજૂ ફરાર
જૂનાગઢમાં NSUIના શહેર પ્રમુખને અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેને પગલે જૂનાગઢ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જૂનાગઢ પોલીસે સમગ્ર મામલે 3 શકમંદોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. જોકે મુખ્ય સૂત્રધાર ગણેશ જાડેજા હજુ ફરાર છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ પોલીસે 3 શકમંદોની કરી અટકાયત
થોડા સમય પહેલા કોંગ્રેસના નેતાનું અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. જૂનાગઢ પોલીસે સમગ્ર મામલે 3 શકમંદોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે મુખ્ય સૂત્રધાર ગણેશ જાડેજા હજૂ ફરાર છે. નોંધનીય છે કે, સમગ્ર મામલે એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઇ છે. હાલ કોંગ્રેસ નેતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે.
મુખ્ય સૂત્રધાર ગણેશ જાડેજા હજૂ ફરાર
ગણેશ ગોંડલનો વિવાદ અત્યારે ખુબ જ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતા સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઈને અત્યારે દલિત સમુદાયમાં ભારે રોષની લાગડીઓ જોવા મળી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે સંજય સોલંકીના પિતાએ પણ ગણેશ ગોંડલની ધરપકડ માટે માગણી કરી છે. જોકે જૂનાગઢ પોલીસે સમગ્ર મામલે 3 શકમંદોની અટકાયત પણ ગણેશ જાડેજા પોલીસ પકડથી હજુ દૂર છે.


