- સ્કૂલ સંચાલકો અને મનપાની ગંભીર બેદરકારી સામે આવી
- મનપાએ સીલ મારતા શાળાઓ શરૂ ન થઇ શકી
- હજારો વિદ્યાર્થીઓના ભાવી પર ઉભુ થયુ સંકટ
રાજકોટમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે અનેક શાળાઓ બંધ રહી છે. જેમાં શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. કારણ કે રાજકોટમાં અનેક શાળાઓ બંધ રહી છે. મનપાએ સીલ મારતા શાળાઓ શરૂ ન થઇ શકી નથી. જેમાં હજારો વિદ્યાર્થીઓના ભાવી પર સંકટ ઉભુ થયુ છે.
સ્કૂલ સંચાલકો અને મનપાની ગંભીર બેદરકારી સામે આવી
સ્કૂલ સંચાલકો અને મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્કૂલો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યાં છે. બાળકના ભવિષ્યને લઇ વાલીઓ મુંઝવણમાં મુકાયા છે. તેમાં અગ્નીકાંડ બાદ મનપાએ સ્કૂલો સિલ મારવાનો નિર્ણય લીધો હતો. જેમાં રાજકોટમાં હજુ પણ 70 થી પણ વધારે સ્કૂલો બંધ છે. તેમાં ફાયર NOC અને BU પરમિશન વગરની 70 થી પણ વધારે સ્કૂલો બંધ રહેતા વિદ્યાર્થીઓ મુંઝાયા છે. તેમજ સ્કૂલો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યાં છે.
સીલ મારેલી સ્કૂલો હજુ પણ બંધ હાલતમાં જોવા મળી
મનપા દ્વારા આકરી કાર્યવાહી બાદ વાલીઓમાં ચિંતા વ્યાપી ગઇ છે. જેમાં ઘણી સ્કૂલો શરૂ થઈ તો સીલ મારેલી સ્કૂલો હજુ પણ બંધ હાલતમાં જોવા મળી છે. કોર્પોરેશન નિયમો કહે તે પાડવા સ્કૂલ સંચાલકો કટિબદ્ધ છે. પરંતુ મનપા દ્વારા કોઈપણ નિયમો આપ્યા વગર સ્કૂલો સીલ મારવામાં આવી હોવાના સંચાલકોના આક્ષેપ છે.


