- સુરતવાસીઓ ટ્રાફિક નિયમ તોડતા પહેલા સાવધાન
- ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ સુરતમાં કાર્યવાહી
- 98 વાહનચાલકોને નિયમ ભંગ કરતા ઝડપી પાડ્યા
સુરતવાસીઓ ટ્રાફિક નિયમ તોડતા પહેલા સાવધાન રહેજો. જેમાં ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ સુરતમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમાં 98 વાહનચાલકોને નિયમ ભંગ કરતા ઝડપી પાડ્યા છે. જેમાં રોંગ સાઈડ વાહન દોડાવનાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ ટ્રાફિક નિયમ ભંગ કરનારના લાયસન્સ સસ્પેન્ડ થશે.
લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરાશે
લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરાશે. તેમજ સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીના આદેશ બાદ રોંગ સાઈડ વાહન દોડાવનાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ઓટોમેટીક સિગ્નલના સ્વયં અમલનો ભંગ કરનારાઓની સાથે રોંગ સાઈડ વાહન ચાલતા ચાલકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. ટ્રાફિક પોલીસે પહેલા દિવસે 98 વાહન ચાલકોને નિયમનો ભંગ કરતા ઝડપી પાડ્યા છે. તેમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારના લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરાશે.
ટ્રાફિકના નિયમો તોડ્યા તો સમજો તમારૂ લાયસન્સ કેન્સલ
સુરત શહેરમાં જો તમે ટ્રાફિકના નિયમો તોડ્યા તો સમજો તમારૂ લાયસન્સ કેન્સલ થઇ જશે. સુરત શહેરમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે. કોઇપણ વ્યક્તિ ફાવે તેમ વાહનો હંકારે છે જેના કારણે અકસ્માત અને ટ્રાફિકજામની સમસ્યા વધી રહી છે. હવે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. સુરત ટ્રાફિકને લઈ પોલીસને સૂચન કર્યું છે કે સતત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ કરવા સૂચન કર્યું છે. 4000થી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા હુકમ કર્યો છે. રોગ સાઈડ જતા લોકોના લાઇસન્સ રદ થશે. 51થી 100 વખત નિયમ તોડનાર 4100 લોકોના લાઇસન્સ રદ કરાશે. 101 વારથી વધુ વખત નિયમનો ભંગ કરતા 1500થી વધુના લાઇસન્સ રદ કરવા સૂચના આપી દેવાઇ છે.


