- ઘટનામાં 1 મહિલા સહિત છ વ્યક્તિઓને ઇજા પહોંચતા ચકચાર
- વીજ કંપનીમાં નિઝામભાઈએ વિરોધ અરજી કરી હોવાથી બંને વચ્ચે મનદુઃખ ચાલે છે
- તકરાર સર્જી હુમલો કરી માર માર્યો કેફ્યિત જણાવી તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી
નળ સરોવર પાસેના કાયલા ગામમાં રહેતા નિઝામભાઈ કરિમભાઈ જાવલિયા અને સિકંદરભાઈ માખણભાઈ રાજલાણીના ખેતર સીમમાં અડીને આવેલા છે. સિકંદરભાઈને વીજ લાઈન લેવાની હોવાથી વીજ પોલ નિઝામભાઈના ખેતરમાં નંખાયા હોવાથી વીજ કંપનીમાં નિઝામભાઈએ વિરોધ અરજી કરી હોવાથી બંને વચ્ચે મનદુઃખ ચાલે છે.
જેની અદાવતમાં ગુરુવારે સાંજે ગામ બહાર તકરાર સર્જાઈ હતી. જેમાં નિઝામભાઈ કરીમભાઈ જાવલીયા, સબિર નિઝામભાઈ જાવલિયા, મુરાદ નિઝામભાઈ જાવલીયા, સાબુદીન જામાભાઈ જાવલિયા સામે પક્ષે હકીમબેન સિકંદરભાઈ રાજ લાણી અને સાહિલ માખણભાઈ રાજલાણીને ઇજા થઇ હતી. જેમને સારવાર અર્થે બાવળા તરફ્ ખસેડાયા હતા. જે તકરારની નિઝામભાઈ કરીમભાઈ જાવલીયાએ તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અલ્લાઉદ્દીન માખણભાઈ રાજલાણી, સિકંદર માખણભાઈ રાજલાણી, સાહિલ માખણભાઈ રાજલાણી, જાહિદ અલ્લાઉદ્દીન રાજલાણી, બહાદુર જમાલભાઈ રાજલાણી, આફ્તાજ અલાઉદ્દીન રાજલાણી અને ગુલફન બહાદુરભાઈ રાજલાણીએ તકરાર સર્જી હુમલો કરી માર માર્યો તેમજ ધમકી આપ્યાની કેફ્યિત જણાવી તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે હકીમબેને તેઓ અને દિયર સાહિલ બહારથી બાઈક પર સાંજે ગામમાં આવી રહ્યા હતા. ત્યારે બસ સ્ટેન્ડ પાસે અદાવતમાં નિઝામ કરીમભાઈ જાવલીયા, સબીર નિઝામભાઈ જાવલીયા, મુરાદ નિઝામભાઈ જાવલિયા અને સાબુદીન જામાભાઈ જાવલિયાએ તકરાર સર્જી ધમકીઓ આપી માર માર્યા હોવાની ફરિયાદ નોંધાવતા નળ સરોવર પોલીસે બંને પક્ષે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


