- TPO સાગઠીયાની ભરતી ગેરકાયદેસર કરવામાં આવી હતી
- 10 વર્ષ સુધી મનસુખ સાગઠીયા ઇન્ચાર્જ તરીકે હતો
- સાગઠીયાને કાયમી ચાર્જ આપવા નિયમો નેવે મુકાયા
રાજકોટ મનપાના સસ્પેન્ડેડ TPO મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં TPO સાગઠીયાની ભરતી ગેરકાયદે કરવામાં આવી હતી. 10 વર્ષ સુધી મનસુખ સાગઠીયા ઇન્ચાર્જ તરીકે હતો. સાગઠીયાને કાયમી ચાર્જ આપવા નિયમો નેવે મુકાયા હતા. તેમાં ભાજપના એક કોર્પોરેટર અને નેતાની મોટી ભૂમિકાની શંકા છે. તેમજ તત્કાલિન કમિશનર આનંદ પટેલની ભૂમિકા શંકાની ઘેરામાં છે.
ગેજેટેડ ઓફિસરની ભરતી પ્રક્રિયા ગેરકાયદેસર થઇ
ગેજેટેડ ઓફિસરની ભરતી પ્રક્રિયા ગેરકાયદેસર થઇ છે. જેમાં મનપાના પદાધિકારીએ સાગઠીયાનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તેમજ ઉંમરના ધારાધોરણનું પણ પાલન કરાયું ન હતું. જેમાં TPO તરીકે સાગઠીયાની ભરતી ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી. તથા મહાપાલિકામાં 10 વર્ષ સુધી ઇન્ચાર્જ રહેલા મનસુખ સાગઠીયાની ભરતી કરવા સત્તાધીશોએ નિયમો નેવે મૂક્યા હતા. જેમાં ભાજપના એક કોર્પોરેટર અને પડદા પાછળ રહેતા એક નેતાએ મોટી ભૂમિકા ભજવી હતી. તેમજ મ્યુ કમિશનર આનંદ પટેલની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે.
મનસુખ સાગઠીયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી
ગેજેટેડ ઓફિસરની ભરતી માટે પદાધિકારીઓ દ્વારા સાગઠીયાનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તથા ઉંમરના ધારાધોરણ પણ કોરાણે મૂકી દેવાયા હતા. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012ની સાલથી લઈ 2024ની સાલ દરમિયાન સાગઠીયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ.10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતાં ગુનો દાખલ કર્યો હતો.


