- 7500 જગ્યાઓ ભરવા માટે સપ્ટેમ્બર મહિનામાં નોટિફિકેશન અપાશે
- સપ્ટેમ્બર પહેલા બદલીઓ અને અન્ય પ્રક્રિયા પૂર્ણ કરાશે
- ઓક્ટોબર મહિનામાં પ્રાથમિક શાળાઓમાં ભરતીનું નોટિફિકેશન
ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં ભરતી માટેનું નોટિફિકેશન બહાર પડશે. જેમાં સપ્ટેમ્બર 2024માં ભરતી માટેનું નોટિફિકેશન આવશે. તેમાં 7500 જગ્યાઓ ભરવા માટે સપ્ટેમ્બર મહિનામાં નોટિફિકેશન આવશે. સપ્ટેમ્બર પહેલા બદલીઓ અને અન્ય પ્રક્રિયા પૂર્ણ કરાશે. તેમજ ઓક્ટોબર મહિનામાં પ્રાથમિક શાળાઓમાં ભરતીનું નોટિફિકેશન જાહેર થશે.
સપ્ટેમ્બર 2024માં માધ્યમિક શાળાઓમાં ભરતી માટેનું નોટિફિકેશન આવશે
સપ્ટેમ્બર 2024માં માધ્યમિક શાળાઓમાં ભરતી માટેનું નોટિફિકેશન આવશે. TET 1 અને TET 2ના ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે,રાજય સરકાર હવે કાયમી શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યું છે,જેમાં રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી આજે જાહેરાત કરશે, આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે.કુલ 24, 700 જગ્યાઓ પર ભરતી જાહેર કરાશે. તાજેતરમાં TAT-TET ઉમેદવારોના વિરોધ બાદ હવે ગુજરાત સરકાર સફાળે જાગી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી અપાઈ છે. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે. શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરશે. કુલ 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજુરી અપાઈ છે.
24 હજાર શિક્ષકોની ભરતી કરી શકે છે સરકાર
TAT અને TET ભરતીને લઈ સરકાર માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 24 હજાર શિક્ષકોની ભરતી કરશે. ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. તેમજ આવતા સમયમાં આયોજન ભરતી નિયમો પૂરા થતાની સાથે શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે. અગાઉ ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને મળ્યા હતા તેઓએ એવું કહ્યું કે, શિક્ષણ સચિવ વિનોદ રાવ જો મને કાયમી ભરતીની દરખાસ્ત રજૂ કરશે તો પ્રક્રિયા હાથ ધરાશે.આથી જ્યારે અમે વિનોદ રાવનો મળ્યા તો તેઓએ એવું કહ્યું કે, કાયમી ભરતીની સત્તા શિક્ષણમંત્રી-સરકાર પાસે છે. તમે લોકો ત્યાં રજૂઆત કરો.અંતે ટેટ-ટાટની યુવક-યુવતીઓની એવી માંગણી છે કે, કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રીએ આપેલું વચન હવે તેઓ નિભાવે તેથી હવે શિક્ષક ભરતીના સમાચાર સામે આવતા લોકોને રાહત થઇ છે.


