- મગફળીની આવકમાં ઘટાડો થતા ભાવ વધ્યા
- સીંગતેલમાં ડબ્બાની કિંમત રૂ.2550થી 2650 થઇ
- એક સપ્તાહકમાં સીંગતેલના ડબ્બે રૂ.70નો વધારો
ગુજરાતમાં સીંગતેલમાં ભાવમાં વધારો થયો છે. જેમાં મગફળીની આવકમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં ભાવ વધ્યા છે. ત્યારે સ્થાનિકો કહી રહ્યાં છે કે ખાદ્યતેલના ભાવ વધારા પર અંકુશ રાખવો જોઈએ. હાલમાં સીંગતેલમાં 15 કિલોગ્રામના ડબ્બાની કિંમત રૂ.2550થી 2650ની વચ્ચે થઇ છે.
સીંગતેલમાં ભાવ વધારા મુદ્દે વેપારીનું નિવેદન
રાજકોટમાં સીંગતેલમાં ભાવ વધારા મુદ્દે વેપારીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યુ છે કે આ વખતે સીઝન દરમિયાન સીંગતેલમાં ભાવ નવેમ્બર ડિસેમ્બર દરમિયાન 2650થી 2700 રૂપિયા સુધી હતો. ત્યારબાદ ઘટીને 2550 રૂપિયા થઈ ગયા હતા. જેમાં ત્રણ મહિનાની અંદર 150 રૂપિયા જેટલો ભાવ ઘટાડો આવ્યો હતો. તથા વરસાદની સિઝન આવતા સીંગતેલની માંગ વધી છે. આ ઉપરાંત મગફળીની આવક પણ હવે થઇ રહી નથી. તેમજ સાર્વત્રિક વરસાદ પણ થયો છે. ડીસા તરફ વરસાદ વહેલો પડતા મગફળીની સિઝન પણ વહેલી પૂર્ણ થઈ છે. હાલમાં બ્રાન્ડેડ સીંગતેલના ભાવ હાલમાં 2650 રૂપિયા થયા છે અન્ય સીંગતેલના ભાવ 2500 જોવા મળી રહ્યા છે.
સીંગતેલમાં 15 કિલોગ્રામના ડબ્બાની કિંમત રૂ.2550થી 2650
ગુજરાતમાં ભારે વરસાદથી મગફળીની આવક ઘટી છે. જેમાં સીંગતેલના ભાવ વઘતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. તેમાં સીંગતેલમાં ડબ્બે 70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ખાદ્યતેલમાં ભાવ વધારા પર કંટ્રોલ કરવા લોકોએ સરકારને અપીલ કરી છે. હાલ સીંગતેલમાં 15 કિલોગ્રામના ડબ્બાની કિંમત રૂ.2550થી 2650 છે. છેલ્લા એક સપ્તાહકમાં સિંગતેલના ડબ્બે રૂ.70નો વધારો ઝીકાતા ગુહિણીઓને ઘર ચલાવવાનું બજેટ ખોરવાઇ ગયાની રાવ ઉઠી છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં ભાવ વધ્યો હોવાનું વેપારી માની રહ્યા છે.


