- બન્ને બાળકો શાળાએથી ઘરે પરત ફરી બકરા ચરાવવા ગયા હતા
- બન્ને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયા
- શામળાજી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી
અરવલ્લીમાં બે બાળકોના ચેકડેમમાં ડૂબી જવાતી મોત નીપજ્યાં છે. આ ઘટના ભિલોડાના ઓડ ગામે બની છે. શાળાએથી ઘરે પરત ફરીને બકરાં ચરાવવા ગયા હતા. બન્ને બાળકો બકરાં ચરાવવા ગયા બાદ ઓડ ગામની ચેકડેમમાં નાહવા પડ્યા હતા. ચેમડેમમાં નાહવા માટે પડેલા બન્ને બાળકો ડૂબી જતાં મોત નીપજ્યા હતા.
ચેકડેમમાં નાહવા પડેલ બન્ને બાળકોના મોત
આ બનાવમાં 9 વર્ષીય પ્રિયાંશી અને 5 વર્ષીય પ્રિન્સનું મોત નિપજ્યું છે. બન્ને બાળકો ચેકડેમમાં ડૂબતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરવામાં આવતા શામળાજી પોલીસ સહિત ફાયર બિગ્રેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર બિગ્રેડની ટીમ સ્થળ પર પહોંચી બન્ને બાળકાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.
બન્ને બાળકોના મોતથી ગામમાં શોકનો માહોલ
હાલ તો બન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શામળાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. શામળાજી પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ઓડ ગામમાં બન્ને બાળકોના મોત નિપજતાં ઓડ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


