- દારૂણ ગરીબી તરફ ધકેલાતા પાકિસ્તાન માટે આઈએમએફ દૂત બન્યું
- પાકિસ્તાન માટે એક મોટી રાહત સમાન સાત અબજ ડોલરની લોન મળી ગઈ
- આતંકવાદ, અકસ્માતોની વણઝાર, ગરીબી, વીજ-કાપમાંથી પાકિસ્તાન કયારે બહાર આવશે
પાકિસ્તાન તેના દુ:ખમાંથી બહાર નીકળી શક્યું નથી. પાકિસ્તાનમાં પણ હવે મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. લોટ, દાળ, દૂધ, ચોખા અને ખાંડ ખરીદતી વખતે પાકિસ્તાનીઓને તેમની દાદી યાદ આવે છે. આવી સ્થિતિમાં પીએમ શાહબાઝ શરીફે ફરીથી IMF પાસેથી 7 અબજ ડોલરની નવી લોન લીધી છે.
દારૂણ ગરીબીમાં ડૂબેલા પાડોશી દેશ પાકિસ્તાને ઘણા દેશો પાસેથી દેવું કરી લીધું છે. આમ છતાં તેની સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. જેથી પાકિસ્તાનના વડાપ્રધાન વિશ્વમાં ફરીને દયાની ભીખ માગી રહ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય નાણાં કોષ પાસેથી સાત અબજ ડોલરની મોટી લોન લીધી છે. પાકિસ્તાનને આશા છે કે કદાચ તે હવે સંકટની નદીમાંથી તરીને બહાર આવશે. રોકડથી ઝઝૂમતા પાકિસ્તાન અને આઈએમએફે સાત અબજ ડોલકની નવી લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને ત્રણ વર્ષના ગાળાની આ લોન પેકેજથી જટિલ આર્થિક સમસ્યાઓ પર કાબૂ કરવામાં મદદ મળશે. આઈએમએફે એક નિવેદનમાં જણાવ્યું કે વર્ષ-2023માં સ્ટેન્ડ બાય એરેજમેન્ટ હેઠળ મેળવેલી આર્થિક સદ્ધરતાને આગળ વધારતા આઈએમએફ કર્મચારી અને પાકિસ્તાની અધિકારી એક કર્મચારી સ્તરે કરાર પર પહોંચી ગયા છે. આ હેઠળ આશરે સાત અબજ ડોલરના ફંડની સુવિધા પર સમંતી સધાઈ છે.
પાકિસ્તાનને દારૂણ ગરીબીમાંથી આઈએમએફ બહાર કાઢશે?
પાકિસ્તાન પર આઈએમએફે સાત અબજ ડોલરની લોન આપીને મોટો ઉપકાર કર્યો છે. એસબીએ એક ટૂંકા ગાળાની લોન છે, જે આઈએમએફ ચુકવણી સંકટનો સામનો કરી રહેલા પોતાના સભ્ય દેશોને આપે છે. વોશિંગ્ટનમાં આવેલી સંસ્થાએ જણાવ્યું કે રોકડથી ઝઝૂમતા દેશમાં વ્યાપક આર્થિક સ્થિરતાને મજબૂત કરવા વધુ સમાવેશી અને સ્થિતિસ્થાપક વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ.


