By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: અંધેર વહીવટ! રાઇડસના SOPનું તંત્રએ પોતાની રીતે કર્યુ અર્થઘટન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

અંધેર વહીવટ! રાઇડસના SOPનું તંત્રએ પોતાની રીતે કર્યુ અર્થઘટન

agragujaratnews
Last updated: 2024/08/23 at 8:25 PM
11 months ago
Share
અંધેર વહીવટ! રાઇડસના SOPનું તંત્રએ પોતાની રીતે કર્યુ અર્થઘટન
SHARE

રાઇડના ફીટનેશ સર્ટિફિકેટ માટે બહુમાળી ભવનમાં કાર્યરત યાંત્રિક પેટા વિભાગની મંજૂરી માટે કોઇએ અરજી જ કરી નથી, તેની મંજૂરી વગર રાઇડ ચાલુ જ ન થઇ શકે

ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં ૨૮ માસુમ જીવ જીવત ભુંજાઇ ગયા છતાં રાજકોટનું સ્થાનિક પ્રશાસન કઇ હદે નીંભર, બેદરકાર છે તે રાજકોટના લોકમેળામાં રાઇડસના વિવાદને લઇને સામે આવ્યુ છે. સરકારના નવા એસ.ઓ.પી.(નિયમો)માં સૌ-સૌની રીતે અર્થઘટન કરીને મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યા સુધી લોલંલોલ જ ચાલ્યુ. આર. એન્ડ.બી., પોલીસ, કલેકટર તંત્રે પોતપોતાની રીતે અર્થઘટન કર્યુ. અંતે એવુ સામે આવ્યુ કે, રાઇડના ફિટનેશ સર્ટિફિકેટ માટે કોઇએ અરજી જ કરી નથી. બહુમાળી ભવનમાં બેસતા રાજકોટ યાંત્રિક પેટા વિભાગનું પ્રમાણપત્ર ન હોય તો લોકમેળો કે ખાનગી મેળામાં એકપણ રાઇડ શરૂ ન થઇ શકે. આમછતાં છેવટ સુધી બધુ જ ભંભાખાનાની જેમ ચાલતુ રહ્યુ અને અંતે આ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો.

લોકમેળાના ઉદ્ઘાટનને હવે કલાકો જ બાકી રહી છે. તેવામાં મોટા ફજેતફાળકા અને યાંત્રિક રાઈડને લઈને શરૂ થયેલો વિવાદ અને ગૂંચવણ હજુ ચાલુ છે. ફાઉન્ડેશન અને સોઈલ રિપોર્ટ મામલે ચલકચલાણું ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે એક વિભાગ કે જેનો અભિપ્રાય અને પ્રમાણપત્ર મળે તો જ રાઈડ ચાલુ થઈ શકે તેમ છે ત્યાં હજુ સુધી એકપણ મેળાની એક પણ રાઈડની મંજૂરી માટે અરજી જ કરી નથી.

ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ મેળામાં લોકોની સુરક્ષાને લઈને એસઓપી બનાવી છે. જેમાં દરેક મોટી રાઈડમાં ફાઉન્ડેશન ફરજિયાત કરાયા છે. બીજી તરફ મેળામાં એકસાથે તમામ રાઈડના પ્લોટ લઈ લેનાર ભાજપના આગેવાનો કહે છે કે, સોઈલ રિપોર્ટ પોઝિટિવ છે એટલે રાઈડમાં ફાઉન્ડેશનની જરૂર જ નથી. બીજી તરફ તંત્ર એમ કહે છે કે, તેમને રિપોર્ટ અપાયો નથી પણ એસઓપી મુજબ જ કામ થશે. રાઈડની મંજૂરી આપવાની જવાબદારી પોલીસની છે આમ કહીને વહીવટી તંત્રએ વળી પાછું પોલીસ પણ નાખી દીધું હતું. આ બધા વચ્ચે સૌથી મહત્ત્વનો યાંત્રિક પેટા વિભાગનો અભિપ્રાય ભુલાઈ ગયો છે.

યાંત્રિક રાઈડની મંજૂરી આપતા પહેલાં ફિટનેશ સર્ટિફિકેટ માટે અભિપ્રાય આપવાની છે. આ કચેરીમાં અરજી થાય ત્યારબાદ અભિપ્રાય અપાય અને તેના આધારે સત્તામંડળ રાઈડ માટે મંજૂરી આપે છે. દર વર્ષે આ કચેરીમાં અરજીઓ આવે છે જોકે આ વખતે લોકમેળા કે ખાનગી મેળામાંથી એકપણ અરજી આવી જ નથી. આ કચેરીમાં અરજી આવે એટલે તેની એક કમિટી મળે. કમિટીમાં અરજી પર ચર્ચા કરીને ત્યાં સ્થળ તપાસ કરાય અને બધી જ બાબતો ચકાસ્યા બાદ રાઈડ શરૂ કરવા અંગે અભિપ્રાય આપવામાં આવે અને તેના આધારે મંજૂરી અપાય છે. આ બધી પ્રક્રિયાઓ થઈ જ નથી. લોકોની સુરક્ષાનો મુદ્દો માત્ર ફાઉન્ડેશન પર નથી પણ રાઈડના અલગ અલગ યાંત્રિક પાર્ટ, એન્જિન, લોખંડની મજબૂતી અને સ્થિતિસ્થાપકપણું, ઈલેક્ટ્રિફિકેશન આ બધું જ જોવું પડે અને તે જોવાનું કામ જે કચેરીનું છે તેમાં કોઇ હજુ સુધી ગયું જ નથી. મેળાને હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે તાત્કાલિક અરજી કરે તો પણ તેટલી અરજીઓ પર પ્રક્રિયા કરવી શક્ય નથી.

હવે અરજી આવે તો’ય પ્રક્રિયા માટે બે દિવસ થઇ જાય

રેસકોર્સના લોકમેળાની રાઇડસ માટે હવે જો રહી રહીને જાગીને બહુમાળી ભવનમાં કાર્યરત યાંત્રિક પેટા વિભાગના પ્રમાણપત્ર માટે અરજી કરવામા આવે તો પણ આવતીકાલે મેળાના ઉદઘાટન સુધીમાં બધુ ભેગુ ન જ થઇ શકે. એક રાઇડ માટે અરજી આવે તો તેના માટે કમિટી બોલાવવી પડે. કમિટી બોલાવાયા બાદ જે સ્થળની અરજી આવે ત્યા ટેકનીકલ ટીમને મોકલવી પડે. આ ટીમ રાઇડના વિવિધ રિપોર્ટ અને સ્ટ્રક્ચર એન્જિનિયરની હાજરીમાં ચકાસણી કરે. ત્યારબાદ સ્થળ પર રિપોર્ટ તેયાર કરી કચેરીમાં મોકલવામા આવે. ત્યાથી અભિપ્રાય તૈયાર કરીને વહીવટી તંત્ર કે પોલીસને મોકલવામા આવે. ત્યારબાદ રાઇડની મંજૂરી મળે છે. લોકમેળામાં યાંત્રિક રાઇડ માટે 3૧ પ્લોટ છે. આ સ્થિતિ જોતા મેળાની તમામ રાઇડની મંજૂરી માટે બે દિવસનો સમય થઇ જાય.

કલેકટરે અટકાવેલું કામ રાઇડસ સંચાલકે ફરી શરૂ કરી દીધુ!

રાઇડસનો સમગ્ર મામલો કોર્ટમાં ગયો છે. બપોરે દોઢ વાગ્યાની આસપાસ આખરી સુનાવણી થાય તે પૂર્વે કલેકટરે ગઇકાલે સાંજથી જ જે રાઇડસનું ફિટીંગનું કામ બાકી છે તે અટકાવી દેવા આદેશ કર્યો હતો. આમ છતાં રાઇડસ સંચાલકે આજે સવારે ફરીથી જે રાઇડસનું કામ બાકી હતું તે ચાલુ કરાવી દીધું હોવાનું જાણવા મળે છે.

Contents
રાઇડના ફીટનેશ સર્ટિફિકેટ માટે બહુમાળી ભવનમાં કાર્યરત યાંત્રિક પેટા વિભાગની મંજૂરી માટે કોઇએ અરજી જ કરી નથી, તેની મંજૂરી વગર રાઇડ ચાલુ જ ન થઇ શકેહવે અરજી આવે તો’ય પ્રક્રિયા માટે બે દિવસ થઇ જાયકલેકટરે અટકાવેલું કામ રાઇડસ સંચાલકે ફરી શરૂ કરી દીધુ!

You Might Also Like

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
ધર્મ

કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક
India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?