3૫૦૦થી વધુ પોલીસ ફોર્સ મેળા અને રથયાત્રાની સુરક્ષા માટે સજ્જ
મેળામાં સૌ પ્રથમ વખત આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન દ્વારા સુરક્ષા વ્યવસ્થા
ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે 16 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા, અમુક માર્ગો બંધ કરાયા, તો અમુક વન વે જાહેર કરાયા
જન્માષ્ટમી પર્વ નિમિતે પોલીસ તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા 3૫૦૦થી વધુ જવાનોની ફોર્સ લોકમેળા તથા રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત રહેશે. આ ઉપરાંત સૌ પ્રથમ વખત આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન વિમાનો દ્વારા મેળાની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાશે. પોલીસ તંત્રએ ટ્રાફિક ન સર્જાય તે માટે ૧૬ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરી છે તેમજ કેટલાક માર્ગો મેળા અને રથયાત્રા અનુસંધાને બંધ કરાયા છે. જયારે કેટલાક માર્ગોને એક માર્ગીય જાહેર કરાયા છે. ઉપરાંત મેળામાં પ્રવેશવા માટે બે ગેટ બનાવાયા છે અને બહાર નીકળવા માટેના બે ગેટ બનાવ્યા છે. ઈમરજન્સી સર્જાય તો તે માટેના પણ બે ગેટ ઊભા કર્યા છે. પ્રકારની માહિતી નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા દ્વારા આપવામાં આવી હતી.
ડીસીપી ઝોન-૨ બાંગરવા આપેલી માહિતી મુજબ મેળામાં ઓવર કાઉંડ મતલબ કે વધુ પડતી સંખ્યામાં લોકો ગ્રાઉન્ડની અંદર એકઠા થઈ ગયા હોવાનો મેસેજ મળશે. એટલે તુરંત જ એન્ટ્રી અટકાવી દેવામાં આવશે. આ વેળાએ અંદર જનારા લોકો હેરાન ન થાય કે ફસાય ન જાય તે માટે ત્રણ જગ્યાએ હોલ્ડી પોઇન્ટ ઊભા કરાયા છે જ્યાં તેમને ઉભા રાખી દેવામાં આવશે અને જેવી અંદર ભીડ ઓછી થયાની જાણ થશે કે તેમને એન્ટ્રી આપવામાં આવશે. મેળામાં એન્ટ્રી મેળવવા માટે ગેઈટ નં.૧ કે જે ફનવર્લ્ડની બાજુમાં આવ્યો છે તે ઉપરાંત ગેઈટ નં. ૪ કે જે રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની પાછળ આવેલો છે ત્યાંથી લોકોને પ્રવેશ અપાશે. આ ઉપરાંત ગેઈટ નં.૨ કે જે પોલીસ હેડ ક્વાર્ટર સર્કલની બાજુમાં આવ્યો છે તે અને તેના સિવાય કે જે ગેઇટ નં. ૩ કે જે જૂના એનસીસી ચોકની બાજુમાં આવ્યો છે ત્યાંથી લોકો બહાર નીકળી શકશે. જ્યારે ફનવર્લ્ડ તેમજ હેડ ક્વાર્ટર સર્કલની વચ્ચે ઈમરજન્સી એક્ઝિટ ગેઈટ બનાવાયો છે તેમજ પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ અને જૂના એનસીસી સર્કલ વચ્ચે ઈમરજન્સી એક્ઝિટ ગેઈટ તૈયાર કરાયો છે. ત્યાંથી લોકો અણીના સમયે બહાર નીકળી શકશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી ઈમરજન્સીમાં બહાર જવાનું થાય તો ગ્રાઉન્ડની ચારે બાજુ ઈમરજનસી ગેટ વે બનાવાયો છે ત્યાંથી પણ વગર વિગ્ને બહાર નીકળી શકાશે. ડીસીપીએ લોકોને ખાસ અપીલ પણ કરી છે કે, મેળામાં આવનાર કોઈ પણ વ્યક્તિ વધુ રોકડ, સોના-ચાંદીના દાગીના, મોંઘા મોબાઈલ સહિતની વસ્તુ સાથે લઈ જવાનું ટાળે કેમ કે મેળાનો લાભ લઈ તસ્કરો ચોરીને અંજામ આપતા હોય છે.જોકે આવા તસ્કરોને ડામવા માટે તેમજ યુવતીઓની છેડતી રોકવા માટે પોલીસ દ્વારા સાદા ડ્રેસમાં અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવશે. જે સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે અને લોકો પર નજર રાખશે. આ ઉપરાંત એઆઈ થી સજજ બે ડ્રોન કેમેરા પર આવા લોકો પર નજર રાખશે.
નો પાર્કિંગ ઝોન અને સાત માર્ગો પરથી પ્રવેશબંધી ફરમાવાઈ
આગામી તારીખ 24 થી 28 ઓગસ્ટ મેદાન ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવેલું હોવાથી આ મેળામાં જવા માટે ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને લોકો વ્યવસ્થિત રીતે તેમના વાહનો લઇ અવરજવર કરી શકે તે માટે પોલીસ કમિશનર દ્વારા સાત માર્ગો પર પ્રવેશબંધી જાહેર કરાઈ છે તો અમુક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સાથે કિશાનપરાથી મહિલા કોલેજ અંડર બ્રિજ સુધી ખાનગી લકઝરી બસોને પણ પાંચ દિવસ માટે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. જેથી ટ્રાફિકનું ભારણ કાલાવડ રોડ પર રહેશે. રેસકોર્સ રિંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટર જૂના એન.સી.સી. ચોક, અંડરબ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધ અને બંને બાજુ નો પાર્કિંગ જાહેર કરવામાં આવે છે. જેમાં (૨) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી (૩) આઈ.બી.ની ઓફિસથી રૂરલ એસ.પી.ના બંગલા સુધી (૪) સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી(૫) બિલ્ડિંગ ચોકથી ફુલાકાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી (૨) રેસકોર્સ રિંગરોડ ફરતે લારી, ગદ્યા, પાથરણા, રેકડી રાખવાની મનાઈ કરમાવી છે. (3) વિશ્વા ચોકથી જુના એન.સી.સી. ચોક સુધી તેમજ (૮) મહિયા અંડર બ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઈવિટ લકઝરી બસોનું જાહેરનામું પૂર્ણ થયા બાદ કિસાનપરા ચોક તરફ આવી શકશે નહીં પણ ટાગોર રોડથી જઈ શકશે વધુમાં પ્રવેશબંધીના જાહેરનામાને પગલે (૧) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી એરપોર્ટ ગાંધીગ્રામ તરફ જઈ શકશે. ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક તરફ જઈ શકાશે. (૨) આમ્રપાલી અંડરબ્રિજથી કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક તરફ જઈ શકાશે. (૩) મેળા દરમિયાન ભારે વાહનોને રેસકોર્સ રિંગરોડ પર પ્રવેશબંધી રહેશે.
લોકમેળામાં આવતા લોકો માટે ફ્રી પાર્કિગની વ્યવસ્થા
લોકમેળામાં ટુ વ્હીલ, ફોર વ્હીલ લઈને આવતા નાગરિકો માટે ફ્રી પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં (૧) નહેરુ ઉવાન, બહુમાળી ભવન સામે પ્રવેશ, બહુમાળી ચોક – કાર, બાઈક, (૨) એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલવે પાટા સામે – બસ,કાર, બાઈલ (2) બાલભવન મેઈન ગેઈટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર – બાઈક તથા સાયકલ, (૪) નવી કલેક્ટર કચેરી સામે . – કાર,બાઈક (૫) કિશાનપરા ચોક, એ.જી. ઓફિસની દિવાલ પાસે – ૧૫ ઓટો ઓટો રિક્ષા (૬ ) કિસાનપરા ચોક સાયકલ શેરિંગ વાળી જગ્યા- ટુ વ્હીલર માટે (૭) આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં – કાર, બાઈક (૮) ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ, ટુ વ્હીલર તથા ફોર વ્હીલ, (૯) આયકર ભવન પાછળ આવેલા પ્લોટમાં -ટુ વ્હીલર માટે (૧૦) કિસાનપરા ચોક જૂની કેન્સર હોસ્પિટનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે (૧૧) કિસાનપરા ચોક કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ-ટુ વ્હીલર (૧૨) એસ.બી.આઈ. બેન્ક સાથે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ – વ્હીલર માટે (૧૩) ચાણક્ય બિલ્ડિંગ ચોક પાસે નગર રચના અધિકારીશ્રી કચેરીનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે (૧૪) એરપોર્ટ ફાટક પાસે શ્રેયસ સોસાયટી પાસેનું ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર (૧૫) ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ – ફાયર વ્હીલર (૧૬) સરકીટ હાઉસ સામે મેમણ બોડિંગનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે (૧૭) હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે – ફક્ત સરકારી વાહનો માટે વિનામૂલ્યે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.