ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-3 થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને સતત બીજી વખત ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો. તેઓ છેલ્લી 8 ટેસ્ટ મેચમાંથી 6 હારી ગયા. રોહિત બેટ્સમેન અને કેપ્ટન તરીકે સતત નિષ્ફળ રહ્યો.. તેથી, BCCI એ શનિવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈમાં એક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હાજર હતા. આ દરમિયાન રોહિતે પોતાનો ફ્યુચર પ્લાન શેર કર્યો.
રોહિતે કહી દિલની વાત
રોહિતે ટેસ્ટ અને વનડેમાં કેપ્ટન રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આગામી 2-3 મહિના સુધી ટીમની કમાન પોતાની પાસે રાખવા માંગે છે. જો કે હા આગામી કેપ્ટન પસંદ ન થાય ત્યાં સુધી તે બંને ફોર્મેટમાં કેપ્ટનશિપ કરશે. પરંતુ હા તેના સ્થાને જેની પણ પસંદગી થશે તેને સમર્થન આપશે. સમીક્ષા બેઠક દરમિયાન રોહિત શર્માએ BCCI ને ટીમ ઈન્ડિયાના ભવિષ્ય વિશે વિચારવાનું કહ્યું છે. તેણે કહ્યું છે કે જ્યાં સુધી આગામી કેપ્ટન પસંદ ન થાય ત્યાં સુધી તે બંને ફોર્મેટમાં કેપ્ટનશીપ કરશે.
રોહિત શર્માએ પોતાના નિવેદન દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે તેનું ભવિષ્ય શું બનવાનું છે. શક્ય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી ભારતીય ટીમના કેપ્ટન તરીકે તેમની છેલ્લી ટુર્નામેન્ટ હોય. આ ટુર્નામેન્ટમાં
ટીમ ઇન્ડિયાના પર્ફોમન્સને આધારે તેમનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પછી ટીમ ઈન્ડિયાએ જૂનમાં 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે.
શું બુમરાહ કેપ્ટન બનશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમીક્ષા બેઠકમાં ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. રોહિત શર્મા પછી તેને કેપ્ટન બનાવવાની ચર્ચા છે. જોકે, તે હાલમાં પીઠની ઇજાથી પીડાઈ રહ્યો છે. પરિણામે તેને ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ મેચોમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. તેને પુનર્વસન માટે NCAમાં રિપોર્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પહેલા પણ ઈજા તેના માટે મોટી સમસ્યા રહી છે. એટલા માટે BCCI તેમના કાર્યભારને લઈને ખૂબ જ સાવધાન છે.


