ભારતના ક્રિકેટ જગતમાં એક સમાચારે જોર પકડયુ છે. વાત કરીએ રણજી ટ્રોફી 2025 વિશેની તો ફીટ થયા પછી પણ અશ્વિન-સુંદર રણજી ક્રિકેટ નહીં રમે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. તમિલનાડુએ રણજી ટ્રોફીના બીજા તબક્કા માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આર અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને આ ટીમમાં સ્થાન મળ્યું નથી.
રણજી ટ્રોફી 2025
તમિલનાડુએ રણજી ટ્રોફીના બીજા તબક્કા માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની બીજા તબક્કાની શરૂઆત 23 જાન્યુઆરીથી ચંદીગઢ સામેની મેચથી કરશે. ઝડપી બોલર સંદીપ વોરિયર કેપ્ટન સાઈ કિશોરની આગેવાની હેઠળની ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે કે ઝડપી બોલર ગુર્જપનીત સિંહ ઈજાને કારણે ટીમની બહાર રહેશે. તમિલનાડુ હાલમાં ગ્રુપ ડીમાં ટોચ પર છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. સુંદર ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણેની ટેસ્ટ શ્રેણી અને ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ હતો.
સુંદરને ટીમમાં સ્થાન કેમ ન મળ્યું?
રણજી ટ્રોફીના બીજા તબક્કાની શરૂઆતના એક દિવસ પહેલા જ 22 જાન્યુઆરીથી શરૂ થનારી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સુંદરને ODI અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ટીમમાં પસંદ કરવામાં આવે તેવી અપેક્ષા છે. તેમના વ્યસ્ત સમયપત્રકને ધ્યાનમાં રાખીને, ટીમે તેમને આરામ આપવાનો નિર્ણય લીધો છે.
ચાહકો નિરાશ થયા
અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ટીમનો ભાગ નથી. ગયા વર્ષે બોર્ડર-ગાવસ્કર શ્રેણીની મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરાયા પછી, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે અશ્વિન ફરી એકવાર સ્થાનિક ક્રિકેટમાં પાછો ફરશે. જોકે, તેના પાછા ફરવાની રાહ જોઈ રહેલા ચાહકો નિરાશ થયા છે કારણ કે હવે તે આગામી સિઝનમાં પાછો ફરે તેવી અપેક્ષા છે.
રણજી ટ્રોફીના બીજા તબક્કા માટે તમિલનાડુ ટીમ આ છે – સાઈ કિશોર આર, જગદીશન એન, વિજય શંકર, ઇન્દ્રજીત બી, મોહમ્મદ અલી એસ, આન્દ્રે સિદ્ધાર્થ સી, પ્રદોષ રંજન પોલ, બૂપતિ વૈષ્ણ કુમાર, અજિત રામ એસ, લક્ષ્ય જૈન એસ. , લોકેશ્વર એસ (ડબલ્યુકે), સંદીપ વોરિયર, મોહમ્મદ એમ, સિદ્ધાર્થ એમ, ત્રિલોક નાગ


