સુદાનમાં અર્ધલશ્કરી જૂથનો ખુલ્લા બજારમાં હુમલો, 54 લોકો માર્યા ગયા; ૧૫૮ ઘાયલ
સુદાનના શહેર ઓમદુરમનમાં ખુલ્લા બજારમાં સુદાનની સેના સામે લડી રહેલા અર્ધલશ્કરી જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 54 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સબરીન માર્કેટ પર રેપિડ સપોર્ટ ફોર્સિસના હુમલામાં ઓછામાં ઓછા 158 અન્ય લોકો ઘાયલ થયા છે.
મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો વધુ સમાવેશ
ઉત્તરપૂર્વીય આફ્રિકન દેશમાં વધતા ગૃહયુદ્ધમાં ઘાતક હુમલાઓની શ્રેણીમાં આ નવીનતમ ઘટના હતી. આરએસએફ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી આવી નથી. સંસ્કૃતિ મંત્રી અને સરકારના પ્રવક્તા ખાલેદ અલ-અલીસારે હુમલાની નિંદા કરતા કહ્યું કે માર્યા ગયેલાઓમાં ઘણી મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે આ હુમલામાં ખાનગી અને જાહેર સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે. આ ગુનાહિત કૃત્ય આ લશ્કરના લોહિયાળ રેકોર્ડનું ઉદાહરણ આપે છે, આ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઘોર ઉલ્લંઘન છે.
હોસ્પિટલમાં તબીબી ટીમની અછત
સુદાનના ડોક્ટર્સ સિન્ડિકેટે RSF હુમલાની નિંદા કરતા કહયુ કે એક શેલ અલ-નવ હોસ્પિટલથી થોડા મીટર દૂર પડ્યો હતો, જ્યાં મોટાભાગના લોકો બજારમાં માર્યા ગયા હતા. હોસ્પિટલમાં લાવવામાં આવેલા મોટાભાગના મૃતદેહો મહિલાઓ અને બાળકોના હતા, ઉપરાંત હોસ્પિટલમાં તબીબી ટીમો, ખાસ કરીને સર્જનો અને નર્સોની ભારે અછત હતી.
એપ્રિલ 2023માં સંઘર્ષ શરૂ થયો
સુદાનમાં સંઘર્ષ એપ્રિલ 2023 માં શરૂ થયો હતો જ્યારે સેના અને RSF નેતાઓ વચ્ચે તણાવ રાજધાની ખાર્તુમ અને ઉત્તરપૂર્વીય આફ્રિકન દેશના અન્ય શહેરોમાં ખુલ્લી લડાઈમાં પરિણમ્યો હતો. શનિવારનો હુમલો દેશના ક્રૂર ગૃહયુદ્ધમાં નવીનતમ દુર્ઘટના હતી. ગયા અઠવાડિયે, ડાર્ફરના પશ્ચિમી પ્રદેશમાં ઘેરાયેલા અલ ફાશેર શહેરમાં એકમાત્ર કાર્યરત હોસ્પિટલ પર RSF ના હુમલામાં લગભગ 70 લોકો માર્યા ગયા હતા.


