પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. આમાં 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય પણ શામેલ છે. આ પછી પાકિસ્તાન ગભરાટમાં છે. એક તરફ, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે.તેવી જ રીતે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે અમને આશા છે કે ભારત સર્જિકલ સ્ટ્રાઈક જેવું કોઈ બેજવાબદાર પગલું નહીં ભરે.
ખ્વાજા આસિફે પાકિસ્તાની ચેનલ હમ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે જો ભારત તરફથી કોઈ દબાણ કે હુમલો થાય છે, તો હું તેને યોગ્ય ગણીશ નહીં. પણ અમે જવાબ આપશું, એમાં ોકઈ શંકા અને સ્થાન નથી. ખ્વાજા આસિફે કહ્યું કે તમને યાદ હશે કે જ્યારે છેલ્લી વખત આપણા હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન થયું હતું, ત્યારે અમે તેનો જવાબ આપ્યો હતો, આજે પણ બધા તેને યાદ કરે છે. હું હમણાં કોઈ પણ બાબતમાં અનુમાન લગાવવા માંગતો નથી. પરંતુ અમને આશા છે કે ભારત સર્જિકલ સ્ટ્રાઈક જેવું કોઈ બેજવાબદાર પગલું નહીં ભરે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ હુમલો ત્યારે થયો જ્યારે યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતમાં હાજર હતા, તો તેનો ફાયદો કોને થઈ શકે? આ અંગે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કહ્યું કે હું આનો જવાબ આપી શકતો નથી. કારણ કે વિદેશ કાર્યાલય તેની તપાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં ભારતના 7 લાખથી વધુ સૈનિકો છે. કોઈએ તેમને પૂછવું જોઈએ કે ભારતીય સેના ત્યાં શું કરી રહી છે?
શાહબાઝે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી
દરમિયાન, પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે પીએમ શાહબાઝ શરીફ ગુરુવારે (24 એપ્રિલ) રાષ્ટ્ર સાથે બેઠક કરશે અને કાશ્મીર હુમલા બાદ ભારતના નિવેદનનો જવાબ આપશે.


