જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ ચાલી રહ્યો છે. ભારત દ્વારા નદીના પાણીનો પ્રવાહ રોકવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે પાકિસ્તાની મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતે અચાનક ઝેલમ નદીમાં પાણી છોડી દીધું. ભારતે પીઓકેમાં ઝેલમ નદીનું પાણી ભર્યા બાદ પાકિસ્તાને મુઝફ્ફરાબાદમાં કટોકટી જાહેર કરી છે. રિપોર્ટમાં ભારત પર પાકિસ્તાની અધિકારીઓને જાણ કર્યા વિના અચાનક ઝેલમ નદીમાં પાણી છોડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાણી છોડવાને કારણે મુઝફ્ફરાબાદ નજીક પાણીના સ્તરમાં તીવ્ર વધારો નોંધાયો હતો. તેના જવાબમાં, સ્થાનિક વહીવટીતંત્રે હટિયન બાલામાં પાણીની કટોકટી લાદી છે. મસ્જિદોમાં જાહેરાતો દ્વારા સ્થાનિક લોકોને પણ ચેતવણી આપવામાં આવી હતી. પાણી ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાંથી પ્રવેશ્યું અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ચકોઠી વિસ્તારમાંથી ઉપર તરફ ગયું. આ ત્યારે બન્યું જ્યારે ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી.
ભારત સરકારે શનિવારે સંધિને સ્થગિત કરવાના પોતાના નિર્ણયને લાગુ કરવા માટે ઔપચારિક સૂચના જાહેર કરી અને ગુરુવારે તેને પાકિસ્તાનને સોંપી દીધી. સુચનામાં જાહેર કરવામાં આવ્યું છે કે સિંધુ જળ સંધિને રદ્દ કરવામાં આવી છે. આનાથી સિંધુ કમિશનરો વચ્ચેની બેઠકો, ડેટા શેરિંગ અને નવા પ્રોજેક્ટ્સની આગોતરી સૂચના સહિત તમામ સંધિ જવાબદારીઓને અસરકારક રીતે સ્થગિત કરી દેવામાં આવી. સંધિ હવે સ્થગિત હોવાથી, ભારત પાકિસ્તાનની પરવાનગી કે પરામર્શ વિના નદી પર બંધ બાંધવા માટે સ્વતંત્ર છે.


