હાલમાં IPL 2025 ને લઈને ચર્ચા ચાલી રહી છે. 18મી સીઝનમાં KKR ની કેપ્ટનશીપ કરી રહેલા અજિંક્ય રહાણેએ ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે મોટું નિવેદન આપ્યું છે.
2 વર્ષથી ભારતીય ટીમની બહાર રહેલા રહાણેએ કહ્યું કે ‘દરરોજ જ્યારે હું જાગું છું, ત્યારે હું હંમેશા વિચારું છું કે હું કયા લક્ષ્યો પ્રાપ્ત કરવા માંગુ છું.’ મારા માટે, મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા કરતાં વધુ મહત્વનું કંઈ નથી. હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગુ છું. હું ફરીથી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવા માંગુ છું.
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ રહાણેએ વ્યક્ત કર્યું દુઃખ
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ રહાણેએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. પોતાના કમબેક પર ભાર મૂકતા તેને કહ્યું કે ‘હું એવો વ્યક્તિ છું જે ક્યારેય હાર માનતો નથી. હું હંમેશા મેદાન પર મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું. હું 100 ટકાથી વધુ આપું છું. રહાણેએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ 2023 માં રમી હતી, તે એક દાયકા સુધી ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગ હતો, પછી તે બહાર થઈ ગયો હતો. પરંતુ તેને હજુ પણ હાર માની નથી. આ નિવેદન દ્વારા તેને પસંદગીકારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ રમવા માટે તૈયાર છે અને તેમના નામ પર વિચાર કરવો જોઈએ.
IPL 2025 પછી, જૂનમાં, ભારતીય ટીમ 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ સિરીઝ પહેલા, રહાણેએ તેની તૈયારીઓનો ઉલ્લેખ કર્યો છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે તેનામાં હજુ પણ તે ભૂખ અને જુસ્સો બાકી છે.
IPL 2025 માં KKR માટે સૌથી વધુ રન
રહાણે આઈપીએલમાં સારા ફોર્મમાં છે. આ જમણા હાથના સ્ટાર બેટ્સમેન કોલકાતા માટે અત્યાર સુધી રમાયેલી 10 મેચમાં 297 રન બનાવી ચૂક્યા છે અને ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
અજિંક્ય રહાણેનું ક્રિકેટ કરિયર કેવું રહ્યું?
આ એ જ અજિંક્ય રહાણે છે, જેને 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો, અને પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતને 2-1થી ટેસ્ટ સિરીઝ જીત અપાવી હતી. અત્યાર સુધીમાં, રહાણેએ ટીમ ઈન્ડિયા માટે 85 ટેસ્ટ મેચોમાં 38.46 ની એવરેજથી 10256 રન બનાવ્યા છે, જેમાં 12 સદીનો સમાવેશ થાય છે. તેને 90 વનડેમાં 35.26 ની એવરેજથી 3767 રન બનાવ્યા છે. રહાણેએ 20 T20 મેચોમાં 375 રન બનાવ્યા છે.


