પહલગામમાં આતંકી હુમલા પછી પાકિસ્તાનને તેની ભાષામાં પાઠ ભણાવવા ભારતીય સેના સજ્જ બની છે. આ વખતે ત્રિપાંખિયો હુમલો કરીને પાકિસ્તાનને ધૂળ ચટાડવામાં આવે તેવી સંભાવના છે.
સેનાની ત્રણેય પાંખ એક સાથે અથવા તો અલગ અલગ રીતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકીઓ અને તેમના આકાઓ પર ઘાતક હુમલા કરીને તેમને દફનાવવાની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. ગમે ત્યારે ભારત આક્રમક હુમલા કરીને પાકિસ્તાન સામે બદલો લઈ શકે છે. સેનાની ત્રણેય પાંખના વડાઓએ તેમની ઓપરેશનલ તૈયારી અંગે પીએમ મોદીને બ્રીફ કર્યા છે. જ્યાં સુધી કૂટનીતિની વાત છે ત્યાં સુધી ભારત આ વખતે આખા વિશ્વને સંદેશો આપવા માંગે છે કે તેની સામે આંખ ઊંચી કરનારના કેવા હાલ બેહાલ થાય છે. ક્યારે, કેવી રીતે અને કેટલી હદે કોને કેટલી સજા કરવી તે ભારત સરકાર અને ભારતની સેના નક્કી કરશે. જે રીતે પહલગામ હુમલામાં નિર્દોષોની હત્યા કરવામાં આવી છે તે સંદર્ભમાં આતંકીઓને જરાપણ માફ ન કરવા જોઈએ તેવો આખા ભારતનો સૂર છે. અગાઉ ઉરી હુમલા વખતે ભારતે પાક. કબજા હેઠળનાં કાશ્મીર (PoK) માં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ વખતે સેનાની ત્રણેય પાંખના વડા પીએમ મોદીને મળ્યા પછી તેમને લશ્કરી કાર્યવાહીની તૈયારી અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. આર્મીની ત્રણેય પાંખ વચ્ચે સંકલન સાધવા ઉચ્ચ સ્તરે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. એરફોર્સ દ્વારા પિૃમ કમાન્ડ પર ફાઇટર જેટ લાંબા અંતર સુધી સોર્ટિઝ લઈ રહ્યા છે. એર ડિફેન્સ નેટવર્કને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૌ પહેલા પાકિસ્તાનમાં અને તેની આસપાસ છુપાયેલા આતંકીઓને વીણી વીણીને તેમનો સફાયો કરવાનો પ્લાન ઘડાયો છે. પીએમ મોદીએ પાક. હુમલાનો બદલો લેવા ગમે તે પગલાં લેવા આર્મીનાં વડાઓને છૂટોદોર આપ્યો છે. ટાર્ગેટ એ; ટાઇમિંગ નક્કી કરવાની જવાબદારી તેમને સોંપી છે. પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં loc પર સતત ફાયરિંગ કરીને ભારતીય સેનાને ઉશ્કેરવાનાં પ્રયાસો કરાઈ રહ્યા છે. ભારતના જવાનો તેમની આ ગુસ્તાખીનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એરફોર્સ દ્વારા પાક.ના એરબેઝ પર તબાહી મચાવવા જુદાજુદા એરબેઝ ખાતે હથિયારોથી સજ્જ જેટ ફાઇટરને તૈયાર કરવામાં આવ્યા છે. સિગ્નલ મળતા જ આ વિમાનો તેનાં નક્કી કરવામાં આવેલા ટાર્ગેટનો સફાયો કરવા સજ્જ છે. દુશ્મનોની તબાહી માટે ભારત પાસે આ વખતે રાફેલ જેટ ફાઇટર અને પૃથ્વી જેવા શક્તિશાળી મિસાઇલ્સ છે. નૌકાદળ દ્વારા વિમાનવાહક જહાજ તેમજ આધુનિક હથિયારો સાથેની સબમરીનોએ પિૃમ કિનારે અડ્ડો જમાવ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે હુંકાર ભર્યો છે કે પીએમ મોદીના નેતૃત્વમાં તમામ ભારતીયોની દુશ્મનને પાઠ ભણાવવાની ઇચ્છા પૂરી થશે. આતંકના અડ્ડાઓના સફાયા માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.


