પાકિસ્તાને ફરી એકવાર ભારતના અનેક શહેરો પર ડ્રોન હુમલા કર્યા હતા. આ ડ્રોન હુમલાઓને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, પંજાબના ફિરોઝપુરના ખાઈ ગામમાં પાકિસ્તાની ડ્રોન પડવાથી એક ઘરમાં આગ લાગી હતી. આ આગમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા હતા. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાક.ની નાપાક હરકત
પંજાબના ફિરોઝપુરમાં પાકિસ્તાને ડ્રોન હુમલામાં ચાર ડ્રોન છોડ્યા હતા. આમાંથી બેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ એક ઘરમાં લાઇટ ચાલુ રહેતા. તે ઘરને નિશાન બનાવીને બે ડ્રોન છોડવામાં આવ્યા હતા. ઘર પર હુમલો થતા ત્યાં તરત જ આગ લાગી હતી. અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મહિલાની હાલત ગંભીર બતાવવામાં આવી હતી. તો કરતારપુર કોરિડોર પાસે પણ વિસ્ફોટ થતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.