ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે માહવાશ ઘણા સમયથી ડેટિંગની ચર્ચાઓ ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ચહલ અને આરજે માહવાશે ક્યારેય સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી.
એ અલગ વાત છે કે આરજે માહવાશ કોઈને કોઈ નિવેદન માટે ચર્ચામાં રહે છે અને બંનેના ડેટિંગની ચર્ચાઓ ફરીથી સામે આવી છે. ફરી એકવાર આવું જ કંઈક બન્યું છે, જ્યારે આરજે મહવાશે ચહલ વિશે કંઈક એવું કહ્યું જે ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યું છે.
આરજે માહવાશે યુઝવેન્દ્ર ચહલ વિશે શું કહ્યું?
તમને જણાવી દઈએ કે આરજે મહવાશ કેટલાક દિવસોથી ડેન્ગ્યુથી પીડિત છે. હોસ્પિટલમાં દાખલ હોવાથી, તે દરરોજ પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ આપતી રહે છે. આ દરમિયાન તેને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ વિશે વાત કરી. મીડિયા સાથેની વાતચીતમાં, તેને પૂછવામાં આવ્યું કે ચહલ વિશે એવી કઈ ખાસિયત છે જે તે પ્રાપ્ત કરવા માગે છે? આના પર આરજે માહવાશે કહ્યું કે ‘તેની ભલાઈ અને તેનો સ્વભાવ.’
ડેટિંગની ચર્ચાઓએ પકડ્યું જોર
આરજે મહવાશે વધુમાં કહ્યું કે ‘તે એક મહાન અને ખૂબ જ કાળજી રાખનાર વ્યક્તિ છે. તે હંમેશા પોતાના લોકો માટે હાજર રહે છે. એટલા માટે હું તેનો સ્વભાવ ચોરી લેવા માગુ છું. આરજે મહવાશનું આ નિવેદન ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યું છે. ફરી એકવાર યુઝવેન્દ્ર ચહલ સાથેના તેના ડેટિંગની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પીબીકેએસની જીત બદલ આપ્યા અભિનંદન
આ પહેલા આરજે માહવાશે આઈપીએલ 2025 મેચ દરમિયાન સીએસકે સામે પીબીકેએસની જીત પર પોસ્ટ કરતી વખતે યુઝવેન્દ્ર ચહલ માટે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેને લખ્યું છે કે ‘દરેક મુશ્કેલ સમયમાં તમારા લોકોને સાથ આપવા અને તેમની પાછળ ખડકની જેમ ઉભા રહેવા બદલ!’ અમે બધા તમારા માટે અહીં છીએ ચહલ. આરજે માહવાશની આ પોસ્ટ પર ચહલે જવાબ આપ્યો કે ‘તમે લોકો મારી કરોડરજ્જુ છો!’ મને હંમેશા ઉંચો રાખવા બદલ આભાર.


