પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ (PBKS) આજે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે . આ સાથે ટીમની કો-ઓનર અને બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પણ ટીમને પ્રોત્સાહિત કરતી વખતે ગર્વ અને પ્રેરણાથી ભરેલી પોસ્ટ શેર કરી છે.
પ્રીતિ ઝિન્ટાએ લખ્યું-બસ જીતવાનું છે
50 વર્ષીય અભિનેત્રી આ IPL સિઝનમાં પંજાબ કિંગ્સની મેચમાં સતત હાજરી આપતી રહી છે. તેણીએ તેના સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક વિડીયો મોન્ટેજ શેર કર્યો અને ટીમને સમર્પિત એક હૃદયસ્પર્શી કેપ્શન પણ લખ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પરની તેની પોસ્ટમાં પ્રીતિએ લખ્યું હતું કે, “અમારા ડાયમેમિક સરપંચ શ્રેયસ ઐયર અમારા ઉત્સાહી કોચ રિકી પોન્ટિંગ અને સમગ્ર કોચિંગ સ્ટાફ અને PBKSના દરેકના નેતૃત્વમાં સુપર ટીમ પ્રયાસ બાદ પંજાબ કિંગ્સ IPL ફાઇનલમાં પહોંચી ત્યારે બધા ખુશ છે. આ ફાઇનલને શક્ય બનાવવા માટે લોકી ફર્ગ્યુસન, ગ્લેન મેક્સવેલ અને માર્કો જેન્સનનો ઉલ્લેખ કર્યા વિના આજનો દિવસ અધૂરો રહેશે. એક વધુ મેચ બાકી છે… બસ જીતના હૈ, IPL 2025. સાડ્ડા પંજાબ, ટિંગ!’
વર્ષો બાદ પહેલીવાર ફાઈનલમાં પહોંચી પંજાબ કિંગ્સ
તમને જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટાની ટીમ અમદાવાદમાં રમાયેલા રોમાંચક ક્વોલિફાયર 2 દ્વારા ફાઇનલમાં પહોંચી છે. ક્વોલિફાયર 2માં કેપ્ટન શ્રેયસ ઐયરે માત્ર 41 બોલમાં અણનમ 87 રન બનાવીને ટીમને વિજય તરફ દોરી હતી. 8 મોટા છગ્ગાની મદદથી તેની ઇનિંગે પંજાબને મુંબઈ ઇન્ડિયન્સ પર 5 વિકેટથી વિજય અપાવ્યો હતો. જેણે 204 રનના લક્ષ્યનો પીછો કર્યો અને ઘણા વર્ષોમાં પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સાથે જ પ્રીતિનો તેની ટીમ પંજાબ કિંગ્સ સાથે ગાઢ સંબંધ છે.