RCB મેનેજમેન્ટે કથિત રીતે આઈપીએલ 2025ની ફાઈનલ પહેલા 3 જૂને બેંગ્લુરુ સિટી પોલીસનો સંપર્ક કરીને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટ્રી પરેડ માટે માગ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ મેનેજમેન્ટે પોલીસ પાસેથી પરમિશન મળ્યા પહેલા જ પોતાની વિક્ટ્રી પરેડ વિશે એક્સ પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી જાહેર કરી. આરસીબી હેન્ડલ પરથી કરેલી આ પોસ્ટ વાયરલ થઈ ગઈ અને થોડા જ કલાકોમાં 10 લાખથી વધુ લોકોએ આ પોસ્ટ જોઈ.
સૂત્રોના જણાવ્યા મુજબ આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ અને ભાગદોડની સ્થિતિ સર્જાઈ, જેમાં 11 લોકોના મોત થયા અને 30થી વધુ ઘાયલ થયા.
મદદ માટે આગળ આવી RCBની ટીમ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતના જશ્નમાં સામેલ થવા ચિન્નાસ્વામી પહોંચેલા 11 ફેન્સે પોતાનો જીવ ગુમાવ્યો. હાલમાં RCBની ટીમ ચિન્નાસ્વામી ભાગદોડના મૃતકોના પરિવારની મદદ માટે આગળ આવી છે. RCB ટીમે મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. આરસીબી એ આઈપીએલ 2025ની ફાઈનલની મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું અને પહેલી વાર ટાઈટલ જીત્યું. ટીમના ચેમ્પિયન બન્યા બાદ બેંગ્લુરુમાં જોરદાર જશ્ન મનાવવામાં આવ્યો. ફેન્સે રસ્તા પર ઉતરીને RCBની જીતને ખૂબ જ સેલિબ્રેટ કરી.
17 વર્ષની રાહનો આવ્યો અંત
RCBની 17 વર્ષની રાહ આખરે સમાપ્ત થઈ અને પહેલી વાર આઈપીએલ ટ્રોફી પોતાને નામ કરી. આરસીબીનું પ્રદર્શન ફાઈનલ મેચમાં જબરજસ્ત રહ્યું. ટીમે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 190 રન બનાવ્યા. RCB ટીમ તરફથી વિરાટ કોહલીએ 43 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન રજત પાટીદારે 26 રનનું યોગદાન આપ્યું. 191 રન ચેઝ કરતાં પંજાબની ટીમ માત્ર 6 રનથી દૂર રહી ગઈ. પંજાબની ટીમે 7 વિકેટ ગુમાવીને 184 રન જ બનાવી શક્યું.