5 ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે ભારતીય ટેસ્ટ ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર પહોંચી ગઈ છે. પ્રેક્ટિસ મેચ પૂરી થયા બાદ લીડ્સના મેદાનમાં 20 જૂનના રોજ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. 8 જુનથી ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચની શરૂઆત કરશે. 20 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025-27ની શુભ શરૂઆત થવા જઈ રહી છે.
દિગ્ગજની ગેરહાજરી વાર્તાશે
ચોક્કસથી નવી ભારતીય યુવા ટીમ પોતાના પૂરા દમખમથી ઇંગ્લેન્ડના મેદાનમાં રમવા ઉતરશે, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેર હાજરીમાં શુભમન ગિલ પૂરા પ્રયત્ન કરશે કે ઈંગ્લેન્ડનિ ધરતી પર ઇતિહાસ રચીને આવે, તેમ છતાં રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બે એવા દિગ્ગજો છે, કે જેમની હાજરી માત્ર સામેના પક્ષે ચિંતા વધારી શકે. ભારતીય ક્રિકેટ રસીકો આ મહાન જોડીને હજી પણ ખૂબ યાદ કરે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ રાવાના થઈ રહી હતી, ત્યારે પાપારાજીએ ઋષભ પંતને રોહિત શર્મા વિશે પૂછતા તેણે ખુબજ રમૂજી જવાબ આપ્યો હતો.
ઋષભ પંતએ શું જવાબ આપ્યો?
ઈંગ્લેન્ડ પ્રવાસ પર જઈ રહેલ ભારતીય ટીમના ઉપકપ્તાન ઋષભ પંતને જ્યારે એક પાપારાજી એ પૂછ્યું કે રોહિત શર્મા કયા છે? તો ટીમ ઈન્ડિયા ના ઉપ કપ્તાન ઋષભ પંતે કહ્યું કે “બગીચામાં ફરી રહ્યા છે”, ઋષભ પંતનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર લોકો ખૂબ હસવા લાગ્યા. આ રમૂજી ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. લોકો આ વિડિયો પર અલગ અલગ પ્રકારની રમૂજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
રોહિતે કહી હતી એક ખાસ વાત
ગયા વર્ષે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ ભતીય પ્રવાસ પર ટેસ્ટ મેચ રમવા આવી હતી. આ પ્રવાસ દરમિયાન વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ દરમિયાન રોહિત શર્માની એક ટકોર સ્ટંપ માઈકમાં રેકોર્ડ થઈ ગઈ હતી કે, “કોઈ બગીચામાં ફરતું ના દેખાવું જોઈએ”. આ વિડીયો જેતે સમયે ખુબજ વાઇરલ થયો હતો, ત્યારે ઋષભ પંતની એરપોર્ટ પર બગીચા વાળી કોમેન્ટ પર લોકો ખૂબજ આનંદ લઈ રહ્યા છે.