ભારત સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. તે હમણા જાપાનને પણ પાછળ છોડીને દુનિયાની ચોથી સૌથી મોટી ઈકોનોમી બન્યુ છે. તો તેની સિદ્ધીઓ હજી પણ સતત વધી રહી છે. હેવ એક સારા સમાચાર આવ્યા છે. જે વિશ્વ બેંક તરપથી જાહેર કરવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીના શાસનમાં ગરીબી સામે મોટો વિજય મળ્યો છે. જેમાં આંકડાઓ સાથે જાહેર કરવામાં આવ્યું છે કે 11 વર્ષમાં ભારતમાં ગરીબોની સંખ્યા 27.1 ટકાથી ઘટીને 5.3 ટકા થઈ ગઈ છે.
લોકો ગરીબી રેખામાંથી બહાર નિકળ્યા
વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર ભારતમાં 2022-23માં ગરીબી ઘટીને 5.3 ટકા થઈ ગઈ છે. આ પહેલા ગયા એક દશકમાં દશકમાં એટલે કે 2011-12માં ગરીબી 27.1 ટકા હતી. જો કે વિશ્વ બેંકે પોતાની ગરીબી રેકઆની સીમાને સુધારીને પ્રતિદીન 3 અમેરિકી ડોલર કરી દીધી છે.
વૈશ્વિક આંકડાઓ અનુસાર 2017 અને 2021 વચ્ચે ભારતમાં મોંઘવારીનો દર જોતા 2022-23 માં ગરીબી દર 5.3 ટકા છે જેમાં કહેવામાં આવ્યું ચે કે ગામડાઓના વિસ્તારમાં ગરીબીનો દર વધુમાં વધુ 18.4 ટકાથી ઘટીને 2.8 ટકા, જ્યારે શહેરી વિસ્તારોમાં 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા થઈ ગયો છે. જેથી ગામડા અને શહેરો વચ્ચેની ગરીબીનું અંતર 7.7 ટકાથી ઘટીને 1.7 ટકા પર આવી ગયુું છે.
ફ્રી રાશનની અસર
વર્લ્ડ બેંકના આ રિપોર્ટ પાછળ મોદી સરકારની ફ્રી રાશન અને સબસિડીની સ્કીમોનો ખૂબ મોટો હાથ છે. જેના કારણે ગામકા અને શહેરોની ગરીબી વચ્ચેનું અંતર પણ ઘટ્યુ છે. વિષ્વ બેંકના કહ્યા અનુસાર છેલ્લા એક દશકામાં ભારતે ગરીબીને ઘટાડવામાં સફળતા મેળવી છે. આ પહેલા એપ્રિલમાં ભારતમાં ગરીબી અને સમાનતાના બ્રિફમાં વૈશ્વિક આંકડાઓ પરથી કહેવામાં આવ્યું હતું કે ગરીબી 2011-12માં 16.2થી ઘટીને 2022-23માં 2.3 ટકા થઈ ગયું હતું. જેનાથી 171 મિલિયન લોકો આ રેખાની ઉપર આવી ગયા હતા