By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    1 week ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?
    આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 weeks ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading: મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?

Last updated: 2025/06/19 at 6:32 AM
1 week ago
Share
મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
SHARE

આપણે એવી દુનિયામાં રહીએ છીએ, જે યુવાનોને ખૂબ મહત્ત્વાકાંક્ષી બનવા પ્રોત્સાહિત કરે છે. મહત્ત્વાકાંક્ષા છે શું? એ બસ એક વિચાર છે જેને તમે અમુક મહત્ત્વ આપવાનું નક્કી કરો છો. ધીમે ધીમે આ તમારા જીવનનું ધ્યેય બની જાય છે. તમે આ વિચારમાં એટલી બધી જીવન ઊર્જા રોકો છો કે એ તમારા અસ્તિત્વ પર રાજ કરવા લાગે છે. ક્યાંક રસ્તામાં તમે ભૂલી જાઓ છો કે તમે જ એને બનાવ્યો હતો. વિચાર એના સર્જક કરતાં મોટો થઈ જાય છે.

નંબર ગેમ

નાનપણથી જ માતા-પિતા અને શિક્ષકો બાળકોને `નંબર વન’ બનવા માટે પ્રોત્સાહિત કરે છે. આ નંબર વન બનવાનો નિર્ધાર સહેલાઈથી જતો નથી. બસ પૈસાદાર કે સુંદર હોવું પૂરતું નથી. લોકો સૌથી વધારે પૈસાદાર અને સૌથી વધારે સુંદર બનવા માંગે છે. આ નંબર ગેમમાંથી કોઈ છુટકારો નથી. શું મહત્ત્વાકાંક્ષા સારી છે કે ખરાબ? એ બંનેમાંથી એકેય નથી. એ બસ સીમિત છે, કેમ કે એ તમે જે જાણો છો બસ એનો જ વિસ્તાર છે. જો તમે પહેલેથી જ તમારું ધ્યેય નક્કી કરી લીધું હોય તો તમારી સાથે કંઈ નવું નહીં થાય. તમારી મહત્ત્વાકાંક્ષા નક્કી કરવાનો અર્થ એ છે કે તમે નાની જીતોથી સંતોષ મેળવશો. તમને લાગે છે કે તમે ઝડપી છો, પણ ખરેખર તો તમે બીજા બધાથી થોડા ઝડપથી ચાલી રહ્યા છો. જો તમારી આજુબાજુના બધા લોકો પાંગળા હોય, તો તમે એમનાથી થોડા ઝડપથી ચાલો છો. મોટાભાગના લોકો સાથે આવું જ થાય છે. તેઓ કોઈનાથી થોડું સારું કરે છે અને માને છે કે તેઓ ખૂબ સરસ કરી રહ્યા છે. દુઃખની વાત એ છે કે જ્યારે તમે ધ્યેય નક્કી કરો છો, ત્યારે તમે પોતાને સીમિત કરો છો. તમે માનવ પ્રતિભાની ખીલવાની સંભાવનાને રોકી દીધી છે.

ઈરાદા વગરની ભાગીદારી

મોટાભાગના લોકો મહત્ત્વાકાંક્ષા પસંદ કરે છે, કેમ કે તેમને ખબર નથી કે બીજી રીતે કેમ જીવવું. ધ્યેય નક્કી કર્યા વગર સફળતા તરફ મારી જાતને કેમ આગળ વધારવી? આ મૂળભૂત સવાલ છે. આખી યોગ પદ્ધતિ આ જ વાતને સંબોધે છે. એનો ઉદ્દેશ ઈરાદા વગરની ઊંડી ભાગીદારી લાવવાનો છે, પણ ભાગીદારી માટે ઊર્જા જોઈએ. વ્યક્તિ ધ્યેય વગર ઊર્જા કેવી રીતે પેદા કરી શકે? આથી જ બધી આધ્યાત્મિક પરંપરામાં ભક્તિ પર ભાર મૂકવામાં આવે છે. તમારા જીવનમાં નવી સંભાવનાઓ આવે તે માટે અને સૌથી મહત્ત્વનું કે, માનવ પ્રતિભા ખીલે તે માટે, આપણે મહત્ત્વાકાંક્ષી નહીં, પણ આનંદિત અને ભાગીદારીવાળી દુનિયા બનાવવી જોઈએ. જો તમે આનંદથી અને પૂરેપૂરા સામેલ હોવ, તો તમારી ક્ષમતા મુજબ, તમે કલ્પના કરી શકો તેના કરતાં પણ વધુ આગળ જશો.

અસીમતાની ખોજ

સિકંદર, જેને દુનિયાનો સૌથી મહત્ત્વાકાંક્ષી માણસ માનવામાં આવે છે. તે સીમિત મહત્ત્વાકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. એ બસ એક ગ્રહને જીતવા માંગે છે, આ મોટા બ્રહ્માંડમાં એક નાનકડો કણ. એ ઈચ્છા એને મોટી લાગે છે; એના માટે એ લોકોને મારે છે; એના માટે એ મરે છે. કેવી ગહન કરુણતા! જો તમે જે કલ્પના કરી હોય બસ તે જ થાય, તો તે કેવું દરિદ્ર જીવન હોય! બીજી તરફ જો તમે પોતાને કોઈ નિશ્ચિત ધ્યેય વગર, હંમેશાં પૂરી તાકાતથી ચાલુ રાખો, તો કોણ જાણે કદાચ તમે એવી જગ્યાઓએ જશો જેની તમે ક્યારેય સપનામાં કલ્પના પણ નહોતી કરી! એટલે પોતાને નિશ્ચિત મહત્ત્વાકાંક્ષાથી સીમિત ન કરો, કેમ કે માનવ હોવું એ અનંત સંભાવના છે, એક અખૂટ ખોજ છે. તમારું જીવન તે અસીમતાની ખોજ વિશે છે.

You Might Also Like

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે

રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ

દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર

આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran બનાવી રહ્યું છે પરમાણુ બોમ્બ? UN ન્યુક્લિઅર ચીફે આપ્યો જવાબ
આંતરરાષ્ટ્રીય

Iran બનાવી રહ્યું છે પરમાણુ બોમ્બ? UN ન્યુક્લિઅર ચીફે આપ્યો જવાબ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Iranની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી, જો અમેરિકા ઈઝરાયલની સાથે યુદ્ધમાં શામેલ થયુ તો
Knowledge: હિટલરે કેમ આપ્યો હતો આખો દેશ ગિફ્ટમાં, કારણ જાણી ચોંકી જશો
Weight Loos: વજન ઘટાડવા આહારમાં આ વસ્તુનો કરો ઉપયોગ, જાણીને ચોંકી જશો
પાકિસ્તાની ફેમસ અભિનેત્રીનું નિધન, 7 દિવસ બાદ સડી ગયેલી હાલતમાં મળ્યો મૃતદેહ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?