By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    19 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ત્રણ સમુદ્રોના સંગમ પર આવેલું `કુમારી અમ્મન મંદિર'
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ત્રણ સમુદ્રોના સંગમ પર આવેલું `કુમારી અમ્મન મંદિર'

AgraGujarat Rajkot
Last updated: 2025/07/03 at 6:57 AM
9 months ago
Share
ત્રણ સમુદ્રોના સંગમ પર આવેલું `કુમારી અમ્મન મંદિર'
SHARE

તમિલનાડુમાં આવેલા આ મંદિરને `કુમારી અમ્મન મંદિર’ અથવા તો `કન્યાકુમારી મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કન્યાકુમારીની યાત્રાએ નીકળનારા આ કુમારી અમ્મન મંદિરમાં શ્રદ્ધાભેર પોતાનું માથું ટેકવવા જાય છે. આ મંદિરની ગણના પણ શક્તિપીઠો પૈકીના એક મંદિરમાં થાય છે. આ મંદિર દેવી કન્યાકુમારીનું ઘર પણ કહેવાય છે.

આ મંદિરનું નિર્માણ આઠમી શતાબ્દીમાં પંડ્યા સમ્રાટો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાળક્રમે વિજયનગર, ચૌલ અને નાયક રાજાઓ દ્વારા તેને પુનર્નિર્મિત પણ કરવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણ બાદ આસપાસના રાજ્યના લોકો પણ માતાજીના દર્શનાર્થે આવતા હતા.

દેવી કન્યાકુમારી કોણ છે?

દેવી કન્યાકુમારી એક કિશોરીના રૂપમાં દેવી શ્રી ભગવતી છે. આ દેવીને શ્રી બાલાભદ્ર અથવા શ્રી બાલાના નામથી પણ ઓળખવામાં આવે છે. મૂળ તેઓ તેના લોકપ્રિય રૂપ `શક્તિ’ (દુર્ગામાતા અથવા માતા પાર્વતી)ના રૂપમાં જ ઓળખાય છે. અગાઉ જણાવ્યું તેમ આ મંદિરનો સમાવેશ શક્તિપીઠોનાં મંદિરોમાં થાય છે.

કન્યાકુમારી મંદિરની મૂર્તિઓ અને શાસ્ત્રોલ્લેખ

કન્યાકુમારી મંદિરનું પ્રમુખ દેવી કુમારી અમ્મન છે, જેને ભગવતી અમ્મનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં દેવી કન્યાકુમારીની જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તે ખૂબ જ આકર્ષિત છે અને તેમને જે નથ (નથણી) પહેરાવવામાં આવી છે તે શુદ્ધ હીરાની છે. આ નાકની નથ વિશે ઘણી લોકવાયકાઓ પણ પ્રચલિત છે. આ મંદિરમાંના પૂર્વ તરફના દરવાજાને હંમેશાં બંધ જ રાખવામાં આવે છે, કારણ કે હીરાની ચમકના લીધે કેટલાંક જહાજોને હાનિ પહોંચે છે. એટલે કે તેની ચમકથી જે તે વ્યક્તિ અંજાઇ જાય છે. આ મંદિરનો ઉલ્લેખ હિન્દુ ગ્રંથો અને શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. આ મંદિરનો ઉલ્લેખ હિન્દુ મહાકાવ્ય મહાભારત અને રામાયણમાં પણ કરવામાં આવ્યો છે.

કન્યાકુમારી મંદિરની પૌરાણિક કથા

કન્યાકુમારી મંદિર પાછળની પૌરાણિક કથા એવી છે કે રાક્ષસ બાણાસુરે તમામ દેવતાઓને બંધક બનાવી લીધા હતા અને નજરકેદ કરી રાખ્યા હતા. એક વરદાન પ્રમાણે રાક્ષસ બાણાસુરને માત્ર કોઇ કુંવારી કન્યા જ મારી શકે તેમ હતું, તેથી દેવતાઓએ પ્રાર્થના કરી અને તેમની વિનંતી પર દેવી પરાશક્તિએ કુમારી કન્યાનું રૂપ ધારણ કર્યું હતું, જેથી રાક્ષસનો વધ થઇ શકે. આગળ જતાં ભગવાન શિવજીને કુમારી સાથે પ્રેમ થઇ ગયો અને આ પ્રેમ લગ્નમાં પરિણમવા જઇ રહ્યો હતો ત્યારે ઋષિ નારદજીને એ વાતની જાણ હતી કે રાક્ષસ બાણાસુરને મારવા માટે કુમારીનું અવિવાહિત રહેવું ખૂબ જ જરૂરી છે, તેથી તેમણે આ લગ્ન ન થાય અથવા તો તેમાં વિલંબ થાય એવા ભરપૂર પ્રયાસો કર્યા હતા. જોકે, ભગવાન શિવજીએ કુમારી સાથે લગ્ન કરવા માટે રાત્રિનો સમય પસંદ કર્યો હતો.

તેમણે રાત્રિ થતાં પોતાની વિવાહયાત્રા પ્રારંભ કરી હતી. તેમણે સુલ્લિન્દ્રમથી વાલુકુપરથી કન્યાકુમારી સુધી યાત્રા શરૂ કરી. આ દરમિયાન નારદમુનિએ એક મરઘીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હવે જ્યારે મરઘીનો અવાજ આવે છે ત્યારે ભગવાન શિવજીને થાય છે કે, હવે તો લગ્નનો શુભ સમય વીતી ગયો છે, તેથી તેઓ પરત ફરે છે, પરંતુ અહીં દેવી તેમની રાહ જુએ છે. અંતે ભગવાન શિવજી યોગ્ય વિવાહ સમય ન આવતાં તેઓ અવિવાહિત રહેવાનો સંકલ્પ કરે છે.

થોડો સમય વીતતા કુમારી પર રાક્ષસ બાણાસુરની નજર પડે છે અને તેમની સાથે જબરદસ્તીથી લગ્ન કરવાની કોશિશ કરે છે. ત્યારબાદ દેવી પોતાના ચક્ર અને ગદા વડે રાક્ષસ બાણાસુરનો વધ કરવા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. કુમારીના રૌદ્ર સ્વરૂપથી બાણાસુર ભયભીત થઇને માફી માંગવા લાગે છે. બાણાસુર હવેથી કોઇ જ પ્રકારનું પાપ ન કરવાનું કહે છે અને કરગરીને માફી પણ માંગે છે. કુમારી તેને માફ પણ કરી દે છે અને દેવતાઓને પણ છોડી મૂકવામાં આવે છે. એક લોકવાયકા પ્રમાણે કુમારી અહીં આવેલા પવિત્ર સંગમના પાણીને આશીર્વાદ પણ આપે છે, કે અહીં ડૂબકી લગાવવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે.

અન્ય એક કથાના જણાવ્યા અનુસાર સંત નારદ અને ભગવાન પરશુરામે દેવીને કળિયુગના અંત સુધી પૃથ્વી પર રહેવાનું જણાવ્યું હતું. ભગવાન પરશુરામે ત્યારબાદ અહીં જ સમુદ્ર કિનારે વિશાળ મંદિરનું નિર્માણ પણ કર્યું અને ત્યારથી દેવી કન્યાકુમારીની મૂર્તિ અહીં સ્થાપિત હોવાનું કહેવામાં આવે છે. મંદિર પાસે આવેલા મોટા પથ્થર પર દેવીનાં પગલાંનાં નિશાન પણ દેખાય છે. આ મંદિરની પાસે એક બીજું પણ પવિત્ર સ્થાન છે, જેને વિવેકાનંદ રોક મેમોરિયલ પણ કહે છે.

મંદિરની વાસ્તુકલા

દેવી કન્યાકુમારીનું આ મંદિર 3000 વર્ષથી પણ જૂનું હોવાનું અનુમાન કરવામાં આવે છે. આ મંદિર નિર્માણમાં ત્રાવણકોર સામ્રાજ્યનો પણ સમાવેશ થાય છે. આ મંદિરમાં કુમારી એટલે કે દેવીની મૂર્તિ છે તે પોતાની નથ માટે પણ વિશેષ જાણીતી છે. આ મંદિર મજબૂત પથ્થરોથી ઘેરાયેલું છે. મંદિરનું મુખ્ય દ્વાર ઉત્તરી દ્વાર થઇને જાય છે. જોકે, પૂર્વનું દ્વાર હંમેશાં માટે બંધ જ રાખવામાં આવે છે. આ દ્વારને વૃશ્ચિકમ, અેડવામ અને કાર્કિડમ મહિના દરમિયાન અમાવસના દિવસે જ ખોલવામાં આવે છે. આ મંદિર પરિસરમાં ભગવાન સૂર્યદેવ, ભગવાન ગણેશ, ભગવાન અયપ્પા સ્વામી તેમજ દેવી બાલાસુંદરી અને દેવી વિજયા સુંદરીનાં મંદિરો પણ આવેલાં છે. આ મંદિરમાં જે કૂવો આવેલો છે તેના પાણીનો ઉપયોગ દેવીના અભિષેક માટે કરવામાં આવે છે. જેને મૂલા ગંગા તીર્થમ નામથી પણ ઓળખવામાં આવે છે.

મંદિરમાં ઉજવાતા તહેવારો

આ મંદિરમાં વૈશાખી મહોત્સવ, ચિત્રા પૂર્ણિમા ઉત્સવ અને નવરાત્રિ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
રાજકોટ

રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી

Editor By Editor 19 hours ago
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?