By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સમસ્યાનું કારણ અને ઉકેલ આપણી અંદર જ છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સમસ્યાનું કારણ અને ઉકેલ આપણી અંદર જ છે

AgraGujarat Rajkot
Last updated: 2025/07/17 at 10:06 AM
2 weeks ago
Share
સમસ્યાનું કારણ અને ઉકેલ આપણી અંદર જ છે
SHARE

સમસ્યા એ છે કે જ્યારે તમારા જીવનમાં નાની-નાની વસ્તુઓ ખોટી થાય છે, ત્યારે તમે વિચારો છો કે તમારા દુઃખ માટે કોઈ બીજું જવાબદાર છે. જ્યારે મોટી વસ્તુઓ ખોટી થાય છે, ત્યારે તમે વિચારો છો કે ભગવાન જવાબદાર છે. તમે પોતે કોઈ પણ વસ્તુ માટે જવાબદાર હોવ એવું લાગતું નથી. આ બદલવાનો સમય આવી ગયો છે. આપણે સમજવું જોઈએ કે આપણી બધી સમસ્યાઓનો સ્રોત આપણી અંદર જ છે અને જો આપણે ઉકેલ જોઈએ છે, તો તે પણ આપણી અંદર જ છે, બીજે ક્યાંય નહીં. આ ખૂબ જ અગત્યનું છે – તમે કોણ છો, તમે કેવા છો, તમે કેવા નથી, એની જવાબદારી તમારી પાસે આવવી જોઈએ. આ મારું મૂળભૂત મિશન છે : ધર્મથી જવાબદારી તરફ.

જ્યારે દુનિયા ધર્મથી જવાબદારી તરફ જશે, ત્યારે જ માનવ ક્ષમતાની પૂરેપૂરી ખોજ થશે; નહીં તો બધા પાસે તેઓ જે કરે છે તે બધા કચરા માટે બહાનું હોય છે અને મોટાભાગે તેઓ દરેક મૂર્ખ કામ માટે દૈવીય મંજૂરી ધરાવે છે. માણસની બુદ્ધિમત્તાની પ્રકૃતિ એવી છે કે જો તમે આજે કંઈક મૂર્ખતાભર્યું કરો છો, તો રાત્રે તમારી બુદ્ધિમત્તા તમને હેરાન કરશે, “મેં આ શા માટે કર્યું?” પણ તમે ખૂબ સરળતાથી આને પાર કરી શકો છો, બસ કોઈ ધર્મગ્રંથ કે સ્વર્ગમાંથી સમર્થન મેળવીને. તમે મૂર્ખતાભર્યાં કામ મોટા આત્મવિશ્વાસ સાથે કરી શકો છો. તમારે પાછળ વળીને જોવાની જરૂર નથી. આ હંમેશાં થતું આવ્યું છે, પણ હવે માનવ બુદ્ધિ પહેલાં કરતાં વધુ ચમકી રહી છે. માનવતાના ઈતિહાસમાં પહેલાં કરતાં આજે વધુ લોકો પોતાના માટે વિચારી રહ્યા છે. અત્યારે આપણે જેવા છીએ, એવા સમયે જો ભગવાન પણ તમારી સાથે વાત કરે અને જો એ તાર્કિક ન લાગે, તો તમે એને સ્વીકારશો નહીં. એટલે ઘણી રીતે સ્વર્ગો તૂટી રહ્યા છે. અત્યારે કદાચ આ વ્યક્તિગત સ્તરે થઈ રહ્યું છે, પણ ધીમે ધીમે આ એક વ્યાપક ઘટના બની જશે.

મારા અંદાજ મુજબ આગામી 80-100 વર્ષોમાં અત્યારે જે ધર્મો છે તે ઓછા થઈ જશે. ભૂતકાળનાં સ્વર્ગો ત્યારે અર્થપૂર્ણ લાગતાં હતાં, જ્યારે લોકો દયનીય પરિસ્થિતિઓમાં જીવતા હતા. આજે આપણે સ્વર્ગ કરતાં પણ સારું જીવન જીવી રહ્યા છીએ, એટલે લોકો તમને કહેશે, “મારે સ્વર્ગમાં જવું નથી. આ સારું છે.” પણ માણસની કંઈક વધુ અનુભવવાની ઝંખના દૂર નહીં થાય. લોકો આ મૂળભૂત ઝંખનાને પૂરી કરવાનો પ્રયત્ન સ્વર્ગ તરફ કે બહાર જોઈને કરતા આવ્યા છે, પણ અંદર જોઈને નહીં. માત્ર 150 વર્ષ પહેલાં પણ દુનિયામાં મોટાભાગના લોકો ઉપર જોતા હતા, જ્યારે બસ થોડા જ લોકો બહાર જોતા હતા. એ થોડા લોકોએ જ સંપત્તિ એકત્રિત કરી, મહેલો બનાવ્યા, પણ આજે મોટાભાગના લોકો ઉપર જોવાને બદલે બહાર જોઈ રહ્યા છે. જો તમે માનવ કલ્યાણ માટે બહાર જોશો, તો આપણે આ ગ્રહને ચીરી નાખીશું અને આપણા અસ્તિત્વનો પાયો જ નષ્ટ કરી દઈશું જે આપણે આજે કરી રહ્યા છીએ. આપણે એને અલગ અલગ નામ આપવા માગીએ છીએ. જેમ કે, પર્યાવરણીય સમસ્યાઓ, ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઈમેટ ચેન્જ. જે બધું થઈ રહ્યું છે તે બસ એ છે કે માણસો માનવ કલ્યાણની ખોજમાં બહાર જોઈ રહ્યા છે.

કલ્યાણની વિચારધારા અંદર તરફ વળવી જોઈએ. માનવ કલ્યાણ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી કોઈ અંદર તરફ ન વળે, કેમ કે માનવ અનુભવ અંદરથી જ બને છે. એકવાર આ સમજી લો, પછી યોગ ખૂબ જ કામનો અને સુસંગત બની જાય છે, કેમ કે તે આંતરિક કલ્યાણ માટેની ટેક્નોલોજી અને આત્મ-રૂપાંતરણ માટેનાં સાધનો આપે છે. જેમ જેમ માનવ બુદ્ધિ વધુ ને વધુ પ્રજ્વલિત થશે, તેમ તેમ આગામી 25-50 વર્ષોમાં, યોગ આ ગ્રહ પર અપવાદ નહીં, પણ સામાન્ય બની જશે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે
ધર્મ

ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક
Health News : હાડકાંમાં થતો ભંયકર દુઃખાવો દૂર કરવા, રોજિંદા આહારમાં આ ખોરાકને કરો સામેલ
Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?