નવરાત્રીના દિવસો પૂરા થઈ ગયા. આજે વિજયાદશમીનો તહેવાર છે. નવરાત્રિ પછીનો સમય શરીર માટે વધુ કાળજી માગ છે. ખાસ કરીને જયારે આ દિવસોમાં ઉપવાસ કર્યા હોય ત્યારે શરીરમાં નબળાઈ આવે છે. તેમજ ગરબા અને ડાંડીયા રમ્યા બાદ હવે શરીરમાં ભારે થાક અને સુસ્તી લાગે છે. નવરાત્રિમાં ગરબાના કારણે ઓછી ઊંઘ મળવાથી શરીરમાં ભારેપણું લાગશે. નવરાત્રિની રાત્રિઓમાં ગરબા ગાયા બાદ શરીરનો થાક ઉતારવા આ ટિપ્સ જરૂર ટ્રાય કરો.
શરીરને ડિટોક્સ કરો
શરીરને ડિટોક્સ કરવા તમે નાળિયેરનું પાણી, ગરમ પાણી, આદુ અને મધનું પાણી લઈ શકો છો. આ એનર્જી ડ્રિંકસ શરીરમાંથી ટૉક્સિન્સ બહાર કાઢશે. આ દિવસોમાં બહુ બહારના નાસ્તા ઝાપટયા હોવાથી હવે હળવો આહાર કરો. 3-4 દિવસ તમે ખીચડી, સૂપ, દાળ-ભાત, સ્ટીમ શાકભાજી જેવા હળવા ખોરાકને દૈનિક આહારમાં સામેલ કરો. તેમજ ભજીયા, પકોડાં જેવા ફ્રાઇડ ખોરાકથી દૂર રહો. તેનાથી પેટ ભારે લાગશે અને શરીરનું પાચન બગડશે. દિવસ દરમ્યાન દૂધ, દહીં, મૂંગ દાળ, છાસ જેવી શરીરને સ્ટ્રેન્થ મળશે.
પગમાં પાણીનો કરો શેક
પગમાં વધુ કળતર લાગતી હશે. પગનો થાક દૂર કરવા માટે હળવા યોગાસન અને સ્ટ્રેચિંગ કરો. તેમજ હૂંફાળા ગરમ પાણીમાં મીઠું નાખી પગનો શેક કરો. પૂરતું પાણી શરીરને હાઈડ્રેટ રાખો. ઇમ્યુનિટી બુસ્ટ કરવા આદુ, હળદરવાળું દૂધ અથવા સૂપનું સેવન કરો. આ ઘરેલુ ઉપચારથી શરીરને રોગપ્રતિકારક શક્તિ મળશે અને નવરાત્રિમાં શરીરમાં થાક ભરાઈ ગયો હશે તેમાં રાહત મળશે. નવરાત્રી પછી માઇન્ડ સેટ થવામાં સમય લાગે છે. એટલે હળવું સંગીત રાત્રે સાંભળો અને મેડિટેશન કરો. નવરાત્રી પછીનું સપ્તાહ શરીરને રિચાર્જ કરવા માટે ડિટોક્સ અને આરામ પર ધ્યાન આપશો તો તમારું શરીર જલદી સ્વસ્થ થશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


