By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    1 hour ago
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    2 hours ago
    Akash Deep birthday : 6 મહિનાની અંદર પિતા અને ભાઈનું થયું નિધન,ટેનિસ બોલ રમીને પરિવારનું કરતો ભરણ પોષણ, આવો છે આકાશ દીપનો પરિવાર
    Akash Deep birthday : 6 મહિનાની અંદર પિતા અને ભાઈનું થયું નિધન,ટેનિસ બોલ રમીને પરિવારનું કરતો ભરણ પોષણ, આવો છે આકાશ દીપનો પરિવાર
    9 hours ago
    પ્રથમ 32 T20 મેચ પછી ભારતના સ્ટાર બોલર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીનો રેકોર્ડ જાણો?
    પ્રથમ 32 T20 મેચ પછી ભારતના સ્ટાર બોલર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીનો રેકોર્ડ જાણો?
    10 hours ago
    2026 U19 World Cup : 3 ભાઈઓએ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, U19 વર્લ્ડ કપ ટીમમાં મળ્યું સ્થાન
    2026 U19 World Cup : 3 ભાઈઓએ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, U19 વર્લ્ડ કપ ટીમમાં મળ્યું સ્થાન
    11 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સાચા મનથી પ્રભુના શરણમાં જાઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સાચા મનથી પ્રભુના શરણમાં જાઓ

AgraGujarat Rajkot
Last updated: 2025/11/06 at 6:34 AM
1 month ago
Share
સાચા મનથી પ્રભુના શરણમાં જાઓ
SHARE

ભગવાન દયાળુ છે ને શરણે આવેલાનું રક્ષણ કરે છે. જે ભક્ત સાચા હૃદયથી પ્રભુનું શરણું સ્વીકારે છે, પ્રભુ તેને તેમના પ્રીતિપાત્ર બનાવે છે. મનના સંશયો, શંકા-કુશંકા છોડીને પ્રભુને બધું જ સમર્પિત કરી દેવામાં આવે ત્યારે એ તારણહાર પોતે ભક્તોનાં કાર્ય પાર પાડે છે.

ભગવાન પૂર્ણ રૂપમાં થયેલા શરણગતિના ભાવને સમજે છે. તે બહુ જ દયાળુ છે, પણ તેમની દયાના પાત્ર બનવા માટે જાતને તપાવવી પડે છે. જાતને દરેક કસોટીમાંથી પાર પાડીને સમર્થ બનાવવી પડે છે. શરણાગતિનો ભાવ કેળવવા માટે ભક્તે તેના અહંને સૌ પ્રથમ ઓગાળવો પડે છે. જોકે, આ શરણાગતિ આડે ઘણાં વિઘ્ન પણ છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતાસંદેશ આપતી વખતે સમજાવ્યું હતું કે ચાર પ્રકારના લોકો શરણાગતિ નથી સ્વીકારી શકતા.

જે લોકો ભગવાનની શક્તિને જાણતા નથી, સમજતા નથી તેઓ ક્યારેય ભગવાનના શરણમાં નહીં આવે, કારણ કે જે વ્યક્તિ ભગવાનના સ્વરૂપને ઓળખતી જ નથી, જેને પરમ સત્તાની શક્તિનો અનુભવ જ નથી થયો. તેને ભગવાનને પોતાની જાતને સમર્પિત કરી દેવાનો ભાવ ક્યારેય નથી આવતો. તેથી જરૂરી છે કે સૌ પ્રથમ પરમાત્માના અસ્તિત્વનું જ્ઞાન મેળવવું, તેમની અસીમ શક્તિને સમજવી. તેમની શક્તિનો ખ્યાલ આવ્યા પછી તેમના સ્વરૂપમાં આપોઆપ પ્રીતિ જાગે છે અને પ્રેમ જ સમર્પિત થવાનો ભાવ ઉજાગર કરે છે.

ઘણીવાર એવું પણ બને છે કે આપણે ભગવાનને માનીએ છીએ, જાણીએ છીએ, પણ તેમનામાં આપણને પૂર્ણ શ્રદ્ધા નથી હોતી. શ્રદ્ધાના અભાવમાં પણ મનુષ્ય આમતેમ ભટકતો રહે છે અને સાચી શરણાગતિથી વંચિત રહી જાય છે. જો ભગવાનના શરણમાં સાચા દિલથી, સમર્પણ ભાવથી જવામાં આવે તો તેની કૃપાને પામી શકાય છે. જો પ્રભુના અસ્તિત્વમાં નરસિંહ મહેતા અને મીરાં જેવી શ્રદ્ધા પ્રગટાવવામાં આવે તો નરસિંહ અને મીરાંની જેમ આપણને પણ કુદરત સાથે હોવાની અનુભૂતિ થઈ શકે છે.

અહંકાર પણ શરણાગતિનો મોટો દુશ્મન છે. તમામ સાધના પછી પણ જો અહંકારનો ભાવ હોય તો બધી જ સાધના એળે જાય છે. જે વ્યક્તિમાં અહં હોય, પોતાની જાતનું અભિમાન હોય તે વ્યક્તિ પરમાત્માનું સમર્પણ નથી સ્વીકારી શકતી. જેવી રીતે જ્ઞાનપ્રાપ્તિના માર્ગમાં અહં વિઘ્નરૂપ બને છે તેવી જ રીતે ભક્તિના માર્ગમાં પણ અહં વિઘ્નરૂપ બને છે ત્યારે સંપૂર્ણ સમર્પણ માટે અહંને ઓગાળવો પણ જરૂરી છે.

આ રીતે અહંકાર, અવિશ્વાસ અને પરમાત્મા પ્રત્યેની અજ્ઞાનતા મનુષ્યને શરણાગતિ સ્વીકારતા રોકે છે. ચોથા પ્રકારની વાત કરીએ તો એવા પ્રકારના લોકો ભગવાનના શરણે જઈ શકતા નથી જે આસુરી પ્રવૃત્તિમાં વધુ લીન હોય છે, જેમના મનમાં ક્રોધ, લાલસા, વાસના વેરઝેર ભરાયેલાં હોય તેવી વ્યક્તિ ક્યારેય ભગવાનનું સંપૂર્ણ સમર્પણ નથી સ્વીકારતી. આ રીતે આપણે જાણ્યું તેમ ભગવાનનું સંપૂર્ણ શરણું સ્વીકારવા માટે આપણે આપણી જાતને તેમની પ્રીતિપાત્ર બનાવવી પડે છે. જો દુર્ભાવોને મિટાવીને જાતને સાધી લેવામાં આવે તો મનની પવિત્રતા સાથે પ્રભુના શરણે જવાનો માર્ગ મોકળો બને છે.

શરણાગતિના ત્રણ ભાવ છે

શરણાગતિ માટે ભક્તમાં સરળતાનો ભાવ હોવો જોઈએ.

હૃદય છળકપટના ભાવથી મુક્ત હોવું જોઈએ.

ભક્તિમાં દેખાડો, દંભ અને પ્રપંચ ન હોવાં જોઈએ.

આ ઉપરોક્ત ત્રણેય ભાવને લઈને જો પ્રભુના દ્વારે જવામાં આવે તો તેના પર પ્રભુની કૃપા અવશ્ય થાય છે. જ્યારે અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનનાં શરણોમાં તેના દરેક સંશયોને રાખી દે છે અને સંપૂર્ણ સમર્પણ ભાવ દર્શાવે છે ત્યારે જ શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનનો હાથ ઝાલે છે અને ગીતા દ્વારા સંશયોને શ્રદ્ધામાં ફેરવી દે છે.

You Might Also Like

પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી

સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત

દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!

એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું

ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IND vs SA 4th T20I : ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે ચોથી T20I મેચ ક્યારે અને ક્યાં રમાશે
સ્પોર્ટ્સ

IND vs SA 4th T20I : ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે ચોથી T20I મેચ ક્યારે અને ક્યાં રમાશે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 20 hours ago
UP ભાજપ અધ્યક્ષ પદ માટે પંકજ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી, CM યોગી આદિત્યનાથ પ્રસ્તાવક બન્યા
Lionel Messi On GOAT India Tour : ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવશે ફૂટબોલ સ્ટાર Lionel Messi, જાણી લો શિડ્યૂલ
તમારું ઈ-ચલણ પેન્ડિગ છે? તો સમયસર ભરી દેજો નહીંતર લાઈસન્સ થઈ જશે રદ્દ
India : કોઈપણ 15 મિનિટના ફ્લાઇટ વિલંબની હવે તાત્કાલિક તપાસ, સરકારના નવા નિયમોથી શું બદલાશે? જાણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?