By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાચા મનથી પ્રભુના શરણમાં જાઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સાચા મનથી પ્રભુના શરણમાં જાઓ

AgraGujarat Rajkot
Last updated: 2025/11/06 at 6:34 AM
6 months ago
Share
સાચા મનથી પ્રભુના શરણમાં જાઓ
SHARE

ભગવાન દયાળુ છે ને શરણે આવેલાનું રક્ષણ કરે છે. જે ભક્ત સાચા હૃદયથી પ્રભુનું શરણું સ્વીકારે છે, પ્રભુ તેને તેમના પ્રીતિપાત્ર બનાવે છે. મનના સંશયો, શંકા-કુશંકા છોડીને પ્રભુને બધું જ સમર્પિત કરી દેવામાં આવે ત્યારે એ તારણહાર પોતે ભક્તોનાં કાર્ય પાર પાડે છે.

ભગવાન પૂર્ણ રૂપમાં થયેલા શરણગતિના ભાવને સમજે છે. તે બહુ જ દયાળુ છે, પણ તેમની દયાના પાત્ર બનવા માટે જાતને તપાવવી પડે છે. જાતને દરેક કસોટીમાંથી પાર પાડીને સમર્થ બનાવવી પડે છે. શરણાગતિનો ભાવ કેળવવા માટે ભક્તે તેના અહંને સૌ પ્રથમ ઓગાળવો પડે છે. જોકે, આ શરણાગતિ આડે ઘણાં વિઘ્ન પણ છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતાસંદેશ આપતી વખતે સમજાવ્યું હતું કે ચાર પ્રકારના લોકો શરણાગતિ નથી સ્વીકારી શકતા.

જે લોકો ભગવાનની શક્તિને જાણતા નથી, સમજતા નથી તેઓ ક્યારેય ભગવાનના શરણમાં નહીં આવે, કારણ કે જે વ્યક્તિ ભગવાનના સ્વરૂપને ઓળખતી જ નથી, જેને પરમ સત્તાની શક્તિનો અનુભવ જ નથી થયો. તેને ભગવાનને પોતાની જાતને સમર્પિત કરી દેવાનો ભાવ ક્યારેય નથી આવતો. તેથી જરૂરી છે કે સૌ પ્રથમ પરમાત્માના અસ્તિત્વનું જ્ઞાન મેળવવું, તેમની અસીમ શક્તિને સમજવી. તેમની શક્તિનો ખ્યાલ આવ્યા પછી તેમના સ્વરૂપમાં આપોઆપ પ્રીતિ જાગે છે અને પ્રેમ જ સમર્પિત થવાનો ભાવ ઉજાગર કરે છે.

ઘણીવાર એવું પણ બને છે કે આપણે ભગવાનને માનીએ છીએ, જાણીએ છીએ, પણ તેમનામાં આપણને પૂર્ણ શ્રદ્ધા નથી હોતી. શ્રદ્ધાના અભાવમાં પણ મનુષ્ય આમતેમ ભટકતો રહે છે અને સાચી શરણાગતિથી વંચિત રહી જાય છે. જો ભગવાનના શરણમાં સાચા દિલથી, સમર્પણ ભાવથી જવામાં આવે તો તેની કૃપાને પામી શકાય છે. જો પ્રભુના અસ્તિત્વમાં નરસિંહ મહેતા અને મીરાં જેવી શ્રદ્ધા પ્રગટાવવામાં આવે તો નરસિંહ અને મીરાંની જેમ આપણને પણ કુદરત સાથે હોવાની અનુભૂતિ થઈ શકે છે.

અહંકાર પણ શરણાગતિનો મોટો દુશ્મન છે. તમામ સાધના પછી પણ જો અહંકારનો ભાવ હોય તો બધી જ સાધના એળે જાય છે. જે વ્યક્તિમાં અહં હોય, પોતાની જાતનું અભિમાન હોય તે વ્યક્તિ પરમાત્માનું સમર્પણ નથી સ્વીકારી શકતી. જેવી રીતે જ્ઞાનપ્રાપ્તિના માર્ગમાં અહં વિઘ્નરૂપ બને છે તેવી જ રીતે ભક્તિના માર્ગમાં પણ અહં વિઘ્નરૂપ બને છે ત્યારે સંપૂર્ણ સમર્પણ માટે અહંને ઓગાળવો પણ જરૂરી છે.

આ રીતે અહંકાર, અવિશ્વાસ અને પરમાત્મા પ્રત્યેની અજ્ઞાનતા મનુષ્યને શરણાગતિ સ્વીકારતા રોકે છે. ચોથા પ્રકારની વાત કરીએ તો એવા પ્રકારના લોકો ભગવાનના શરણે જઈ શકતા નથી જે આસુરી પ્રવૃત્તિમાં વધુ લીન હોય છે, જેમના મનમાં ક્રોધ, લાલસા, વાસના વેરઝેર ભરાયેલાં હોય તેવી વ્યક્તિ ક્યારેય ભગવાનનું સંપૂર્ણ સમર્પણ નથી સ્વીકારતી. આ રીતે આપણે જાણ્યું તેમ ભગવાનનું સંપૂર્ણ શરણું સ્વીકારવા માટે આપણે આપણી જાતને તેમની પ્રીતિપાત્ર બનાવવી પડે છે. જો દુર્ભાવોને મિટાવીને જાતને સાધી લેવામાં આવે તો મનની પવિત્રતા સાથે પ્રભુના શરણે જવાનો માર્ગ મોકળો બને છે.

શરણાગતિના ત્રણ ભાવ છે

શરણાગતિ માટે ભક્તમાં સરળતાનો ભાવ હોવો જોઈએ.

હૃદય છળકપટના ભાવથી મુક્ત હોવું જોઈએ.

ભક્તિમાં દેખાડો, દંભ અને પ્રપંચ ન હોવાં જોઈએ.

આ ઉપરોક્ત ત્રણેય ભાવને લઈને જો પ્રભુના દ્વારે જવામાં આવે તો તેના પર પ્રભુની કૃપા અવશ્ય થાય છે. જ્યારે અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનનાં શરણોમાં તેના દરેક સંશયોને રાખી દે છે અને સંપૂર્ણ સમર્પણ ભાવ દર્શાવે છે ત્યારે જ શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનનો હાથ ઝાલે છે અને ગીતા દ્વારા સંશયોને શ્રદ્ધામાં ફેરવી દે છે.

You Might Also Like

 સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું
રાજકોટ

જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું

Editor By Editor 4 days ago
સુરતના કાકરાપાર ડેમની નહેરમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત
દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ
 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું
ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?