ટક્કર બાદ ઘણા મુસાફરો વાહનોમાં ફસાઈ ગયા હતા. પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને ઇમરજન્સી ટીમો દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા.
ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી
તમિલનાડુના શિવગંગા જિલ્લામાં તિરુપથુર નજીક બે સરકારી બસો સામસામે અથડાઈ હતી. જેમાં સાત લોકોના મોત થયા હતા. 40 થી વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘાયલોને શિવગંગા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે કારણ કે કેટલાક મુસાફરો ગંભીર હાલતમાં છે. પોલીસે જણાવ્યું હતું કે ટક્કર એટલી ગંભીર હતી કે બંને બસોના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું, જેમાં ઘણા લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ હતુ.
એક અઠવાડિયામાં બે મોટા બસ અકસ્માતો
ગત અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે તમિલનાડુમાં બે બસો અથડાઈ છે. જેના કારણે અનેક લોકોના મોત થયા છે. રાજ્યના તેનકાસી જિલ્લામાં બે બસો સામસામે અથડાઈ હતી. છ લોકોના મોત થયા હતા અને આશરે 30 મુસાફરો ઘાયલ થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. મદુરાઈથી સેનકોટ્ટાઈ જઈ રહેલી બસ તેનકાસીથી કોવિલપટ્ટી જઈ રહેલી બીજી બસ સાથે અથડાઈ હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ડ્રાઇવરની ભૂલ હતી. મદુરાઈ-સેનકોટ્ટાઈ બસનો ડ્રાઇવર બેદરકારીથી અને વધુ ઝડપે ચલાવી રહ્યો હતો.
આ પણ વાંચોઃ Codeine Cough Syrup Case: મુખ્ય આરોપી શુભમ જયસ્વાલના પિતા ભોલા પ્રસાદની કોલકાતા એરપોર્ટ પરથી કરાઇ ધરપકડ


