ચક્રવાત દિતવાહને કારણે શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલનનો કહેર યથાવત છે. આખાને આખા ગામ પાણીમાં ડૂબી ગયા છે. આ સંકટ વચ્ચે ભારતનુ ઓપરેશન સાગર બંધુ સૌથી મોટી આશા બન્યા છે. ભારતીય એનડીઆરએફે પુત્તલમમાં માનવીય સંવેદના બતાવતા નવ મહિનાની ગર્ભવતી મહિલાને સુરક્ષિત રીતે બચાવીને હોસ્પિટલ ખસેડી છે. એટલે કે એક સાથે બે જીંદગીને બચાવી છે.
ભારતનું રાહત અભિયાન સૌથી મોટી આશા
શ્રીલંકા ચક્રવાત દિતવાહથી થયેલી ભયાનક તબાહીનો સામનો કરી રહ્યું છે. દેશમાં સતત પડી રહેલા વરસાદ, પૂર અને ભૂસ્ખલને અનેક વિસ્તારોને સંપૂર્ણપણે બરબાદ કરી દીધા છે. આવી ભયંકર પરિસ્થિતિમાં શ્રીલંકા માટે ભારતનું રાહત અભિયાન સૌથી મોટી આશા તરીકે ઊભર્યું છે. પૂર અને ભૂસ્ખલનથી પીડાતા ઘણા વિસ્તારોમાં હાલાત અત્યંત ગંભીર છે, ભારતીય એનડીઆરએફે પુત્તલમમાં માનવીય સંવેદના બતાવતા નવ મહિનાની ગર્ભવતી મહિલાને સુરક્ષિત રીતે બચાવીને હોસ્પિટલ ખસેડી છે. એટલે કે એક સાથે બે જીંદગીને બચાવી છે.
નવ મહિનાની ગર્ભવતી મહિલાને બચાવી
શ્રીલંકાના પુત્તલમ જિલ્લામાં એનડીઆરએફએ નવ મહિના ની ગર્ભવતી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવી. ઉપરાંત, એનડીઆરએફ ટીમોએ સ્થાનિક પ્રશાસન સાથે મળી જે લોકો પૂર કારણે ફસાઈ ગયા હતા તેઓને લગભગ 800 લોકોને ખોરાક અને જરૂરી સામાન પહોંચાડ્યો છે,
રાહત અભિયાનમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોએ 5.5 ટનથી વધુ રાહત સામગ્રી હવાઈ મારફતે પહોંચાડી. ઘણા વિસ્તારોમાં જમીન પર ઉતરવું શક્ય નહોતું, તેથી હેલિકોપ્ટર દ્વારા સામગ્રી ઉપરથી જ પહોંચાડવામાં આવી. વાયુસેનાએ ગન્થુના વિસ્તારમાંથી ચાર ગંભીર રીતે ઘાયલ લોકોને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડ્યા.ભારત દ્વારા શ્રીલંકાને ઓપરશન સાગર બંધુ દ્વારા સતત હેલ્પ પહોંચાડવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ દિતવાહે શ્રીલંકામાં મચાવી તબાહી, 334 લોકોના થયા મોત, 370 હજુ પણ ગુમ


