રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો બે દિવસનો ભારત પ્રવાસ પૂર્ણ થયો છે. રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય રાત્રિભોજન બાદ, તેઓ સીધા પાલમ એરપોર્ટ પર પહોંચ્યા અને મોસ્કો જવા રવાના થયા. વિદેશ મંત્રી એસ. જયશંકર તે દરમિયાન એરપોર્ટ પર હાજર હતા.
રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન
આ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુતિન અને તેમનું સમગ્ર રશિયન પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના VIP સાથે રાત્રિભોજનમાં હાજર હતા
પીએમ નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને અનેક ભેટ આપી
પીએમ નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને આસામી કાળી ચા, ચાંદીનો ચાનો સેટ, ચાંદીનો ઘોડો, માર્બલ ચેસ સેટ, કાશ્મીરી કેસર અને રશિયન ભાષામાં શ્રીમદ ભગવદ ગીતાની એક નકલ સહિત અનેક ભેટો આપી હતી.


