ઉડાન સંકટ વચ્ચે DGCAએ ઇન્ડિગોના ટોચના અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે.
નવા ફ્લાઇટ ડ્યુટી નિયમોની તપાસ
સૂત્રોના જણાવ્યા અનુસાર, DGCAએ ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ આવતીકાલે સવારે 11 વાગ્યે ઇન્ડિગો એરલાઇન્સના ટોચના અધિકારીઓની પૂછપરછ કરશે. સમિતિ છેલ્લા છ દિવસમાં આશરે 3,900 ફ્લાઇટ રદ કરવા અંગે આ અધિકારીઓની પૂછપરછ કરશે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયની આ સમિતિ ક્રૂ પ્લાનિંગ, ઓપરેશનલ તૈયારીઓ અને નવા ફ્લાઇટ ડ્યુટી નિયમોની તપાસ કરી રહી છે.
ઇન્ડિગોનું સંકટ સાતમા દિવસે પણ ચાલુ
હકીકતમાં, ઇન્ડિગોનું સંકટ આજે સાતમા દિવસે પણ ચાલુ છે. ઓપરેશનલ મુશ્કેલીઓને કારણે 450 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી રદ કરવામાં આવી હતી. 2 ડિસેમ્બરથી શરૂ થયેલી આ કટોકટીથી હજારો મુસાફરોને અસુવિધા થઈ છે. જોકે, ઇન્ડિગોએ માફી માંગી છે અને જણાવ્યું છે કે 10 ડિસેમ્બર સુધીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. DGCA એ ઇન્ડિગોના CEO અને COO ને પણ નોટિસ ફટકારી છે.
ડીજીસીએએ વધુ 24 કલાક આપ્યા
સંજય કે. બ્રહ્મણે, જોઈન્ટ ડિરેક્ટર જનરલ, અમિત ગુપ્તા, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, કેપ્ટન કપિલ માંગલિક, સિનિયર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર, કેપ્ટન લોકેશ રામપાલ, ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટરનો સમિતીમાં સમાવેશ કરાયો છે. ડીજીસીએએ ઇન્ડિગોને કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે વધુ 24 કલાકનો સમય આપ્યો. ડીજીસીએએ ચેતવણી આપી હતી કે વધુ સમય આપવામાં આવશે નહીં. નિર્ધારિત સમય સુધીમાં જવાબ આપવામાં નિષ્ફળતા એકપક્ષીય કાર્યવાહીમાં પરિણમશે.
આ પણ વાંચોઃ મેનહટનમાં ICE દરોડા પછી Zohran Mamdaniનું નિવેદન આવ્યુ ચર્ચામાં, જાણો શું કહ્યુ?


