શિયાળામાં શરદી અને ઉધરસની સમસ્યાથી લોકો પરેશાન રહે છે. આ સમસ્યા વાયરલ ચેપના કારણે થાય છે. દવા કર્યા પછી પણ ફરી આ સમસ્યા જોવા મળે છે. વારંવાર થતા વાયરલ ચેપના કારણે શરદી, તાવ અને ઉધરસની સમસ્યા શિકાર લોકો થાય છે. વાયરલ ચેપ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ બીમારી થવાનું કારણ બદલાતી ઋતુ નહીં પરંતુ આપણી ખોટી આદતો પણ છે. આરોગ્ય નિષ્ણાતના મતે રોજિંદા જીવનમાં થોડા સરળ પગલાં અપનાવવાથી વાયરલ ચેપનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
આ પગલાં અપનાવો વાયરલ ચેપનું જોખમ ઘટશે
વાયરસ અને બેક્ટેરિયા કલાકોથી દિવસો સુધી સપાટી પર ટકી શકે છે. તેથી, વારંવાર હાથ ધોવા એ ચેપ અટકાવવાનો સૌથી સરળ રસ્તો છે. જો સાબુ અને પાણી ઉપલબ્ધ ન હોય, તો હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.ટૂથબ્રશ, ટુવાલ, રેઝર, રૂમાલ અથવા નેઇલ ક્લિપર જેવી વસ્તુઓ બેક્ટેરિયા અને વાયરસના મુખ્ય સ્ત્રોત છે. તેમને ક્યારેય શેર કરશો નહીં, અને તમારા બાળકોને પણ તે શીખવો. ખાંસી કે છીંક ખાતી વખતે તમારા મોંને ટીશ્યુ અથવા કોણીથી ઢાંકો. આ ચેપ ફેલાવાનું જોખમ ઘણું ઓછું કરે છે.શરદી, ખાંસી કે તાવ હોય, તો માસ્ક પહેરવાથી ફક્ત તમારું જ નહીં પણ બીજાઓનું પણ રક્ષણ થાય છે. ભીડવાળી જગ્યાએ પણ માસ્ક ઉપયોગી છે.
રોગપ્રતિકારક શક્તિ વધારો
વાયરલ ચેપનું જોખમ અટકાવવા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો જોઈએ. કારણ કે આપણી નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે જ વાયરલ ચેપના શિકાર થવાય છે. વિટામિન અને પ્રોટીનની ઉણપની ગેરહાજરી શરીરમાં નબળાઈ લાવે છે. તંદુરસ્ત રહેવા સિઝનલ ફળો, બદામ, અખરોટ જેવા ડ્રાયફ્રૂટસ જરૂર ખાવા. દૈનિક આહારમાં કઠોળ, આખા અનાજ, લીલા પાંદડાવાળી શાકભાજીનો સમાવેશ કરવો. બીટ, ગાજર અને ટામેટા જેવા ખોરાક શરીરમાં આર્યનની ઉણપ દૂર કરે છે. તેમજ ચીયા બીજ, અળસી જેવા બીજનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો. ઠંડીના દિવસોમાં શરીરની ઉર્જા વધારવા આદુ, લસણ અને તજનો ઉપયોગ કરો. તેમજ માનસિક તણાવ દૂર કરવા યોગ કરો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


