ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉંમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં જેપી નડ્ડાની સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજાઈ. આ બેઠક સંગઠન અને સરકારની વચ્ચે સારા સમન્વયને લઈને યોજાઈ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સાથે સાથે ઉત્તરપ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી અને પાર્ટી પદાધિકારી સામેલ થયા.
પદાધિકારીની સાથે SIRનો મુદ્દો છવાયેલો રહ્યો
આ દરમિયાન બેઠકનમાં જે.પી.નડ્ડાએ કહ્યું કે આ તેમની છેલ્લી બેઠક છે. તેમને પ્રથમ બેઠક પણ ઉત્તરપ્રદેશના પદાધિકારીઓની સાથે કરી હતી અને અધ્યક્ષ તરીકે આ તેમની છેલ્લી બેઠક છે. આ દરમિયાન પદાધિકારીની સાથે SIRનો મુદ્દો છવાયેલો રહ્યો. સુત્રો મુજબ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પાર્ટી પદાધિકારીને ફરીથી ચેતવણી આપી કે તે SIRમાં પાછળ છે, જ્યારે સમાજવાદી પાર્ટી નેતા અને સમર્થક પોતાના વોટ બનાવી રહ્યા છે.
આખરે SIRમાં કયા ભાજપના લોકોને સમસ્યા આવી રહી છે: જે.પી.નડ્ડા
મળતી માહિતી મુજબ જેપી નડ્ડાએ પુછ્યુ કે આખરે SIRમાં કયા ભાજપના લોકોને સમસ્યા આવી રહી છે, કારણ કે બિહારમાં તો SIR યોગ્ય રીતે થયું છે. આ બેઠકમાં ઘણા નેતાઓએ પણ કહ્યું કે ઘણી જગ્યા સપા સમર્થકોએ બીએલઓ સાથે સેટિંગ કરીને ગેરકાયદેસર અને ખોટા લોકોના નામ પણ વોટર લિસ્ટમાં જોડી દીધા છે, બની શકે છે કે તેમાં ઘુસણખોરોના નામ પણ હોય. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ફરી એક વખત ભાજપ સંગઠનના તમામ મોટા અધિકારીઓને SIR પર દિવસ-રાત એક કરીને કામ કરવાનું આહ્વાન કર્યું છે.
નિતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા
એ પણ કહ્યું કે પાર્ટીના BLA સમાજવાદી પાર્ટી સમર્થક બૂથ પર નજર રાખે અને શંકાસ્પદ પ્રવૃતિનો તરત જ રિપોર્ટ કરે, કારણ કે જો SIR યોગ્ય ના થયું તો ભાજપને ચૂંટણીમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન પંકજ ચૌધરીએ પોતાના તમામ કાર્યકર્તાઓને SIRમાં જોડાઈ જવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં નિતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નિતિન નબીન બિહાર સરકારમાં બે વખત મંત્રી અને 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.


