By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોલીસ વિભાગમાં રાજ્યભરના 257 પોલીસ કર્મચારીઓની માંગણી મુજબ બદલીના હુકમો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પોલીસ વિભાગમાં રાજ્યભરના 257 પોલીસ કર્મચારીઓની માંગણી મુજબ બદલીના હુકમો

Editor
Last updated: 2026/01/05 at 4:39 PM
3 months ago
Share
પોલીસ વિભાગમાં રાજ્યભરના 257 પોલીસ કર્મચારીઓની માંગણી મુજબ બદલીના હુકમો
SHARE

પોલીસ વિભાગમાં રાજ્યભરના 257 પોલીસ કર્મચારીઓની માંગણી મુજબ બદલીના હુકમો

પોતાના ખર્ચે અને સીનીયોરીટી ગુમાવવાની શરતે પસંદગીના જિલ્લાઓમાં બદલી; ગૃહ વિભાગના પરિપત્ર મુજબ અમલ

અગ્ર ગુજરાત , રાજકોટ

રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા લોક રક્ષક દળ તથા પોલીસ કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓ માટે લાંબા સમયથી રાહ જોવાતી સ્વવિનંતી આધારિત બદલી પ્રક્રિયામાં અંતે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ પોતાની પસંદગી મુજબના શહેર કે જિલ્લામાં પોતાના ખર્ચે બદલી કરવા માટે અગાઉથી DGP કચેરીમાં અરજીઓ કરી હતી. લાંબા સમય બાદ આ અરજીઓ પર વિચારણા કરીને રાજ્ય સરકારે બદલીઓના હુકમો બહાર પાડ્યા છે.
ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, પોલીસ કર્મચારીઓ દ્વારા કરાયેલી સ્વવિનંતી આધારે આ બદલીઓ મંજૂર કરવામાં આવી છે. આ બદલીઓ સરકારશ્રીના ગૃહ વિભાગ તથા સામાન્ય વહીવટ વિભાગના તા. ૦૫/૦૭/૨૦૧૭ અને તા. ૧૬/૧૦/૨૦૨૧ ના પરિપત્રોમાં નિર્ધારિત શરતોને આધિન રાખીને કરવામાં આવી છે.
પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, તેમની બદલી સંપૂર્ણપણે સ્વવિનંતી આધારિત છે. આ બદલીઓ “પદરના ખર્ચે” એટલે કે કર્મચારી પોતે જ મુસાફરી અને અન્ય ખર્ચ ભોગવશે તેવી શરતે મંજૂર કરવામાં આવી છે. સાથે સાથે, આ બદલીઓમાં સીનીયોરીટી જતી કરવાની શરત પણ લાગુ રહેશે, એટલે કે નવી જગ્યા પર અગાઉની સીનીયોરીટીનો લાભ મળશે નહીં.
રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાંથી આવી બદલીઓ માટે વ્યાપક માંગણી કરવામાં આવી હતી. પોલીસ વિભાગમાં લાંબા સમયથી એક જ જિલ્લામાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓએ પારિવારિક, આરોગ્ય, શિક્ષણ અથવા વ્યક્તિગત કારણોસર પોતાની પસંદગી મુજબના જિલ્લામાં બદલી માટે અરજી કરી હતી. આ તમામ અરજીઓની તપાસ અને ચકાસણી બાદ કુલ 257 પોલીસ કર્મચારીઓની પસંદગી મુજબના શહેર અથવા જિલ્લામાં બદલીના હુકમો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પરિપત્રમાં એક મહત્વની શરતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, જો તેમની સામે કોઈ ખાતાકીય તપાસ (ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી) ચાલુ હોય અથવા કોઈ ફોજદારી કેસ નોંધાયેલ હોય, તો તેની સંપૂર્ણ વિગતો તાત્કાલિક ગૃહ વિભાગને જાણ કરવાની રહેશે. આવી સ્થિતિમાં ગૃહ વિભાગ તરફથી અંતિમ મંજૂરી મળ્યા બાદ જ બદલીનો હુકમ માન્ય ગણાશે.
પોલીસ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આ નિર્ણયથી કર્મચારીઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે, કારણ કે લાંબા સમયથી અટવાયેલી સ્વવિનંતી બદલીઓ હવે અમલમાં આવી રહી છે. સાથે સાથે, વિભાગીય શિસ્ત અને નિયમો જળવાઈ રહે તે માટે જરૂરી કડક શરતો પણ રાખવામાં આવી છે.
આ બદલીઓથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માનવ સંસાધનનું સંતુલન સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ કર્મચારીઓ માટે પોતાની પસંદગી મુજબના સ્થળે ફરજ બજાવવાની તક મળતાં કાર્યક્ષમતા અને મનોબળ વધશે તેવી પણ અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

CID ક્રાઈમ હેઠળ એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત કરી રાજ્યભરના 44 કર્મચારીઓની નિમણૂક

રાજ્યમાં વધી રહેલી નાર્કોટિક્સની બદીને નાથવા માટે રાજ્ય સરકારે હવે કમર કસી છે. ડ્રગ્સના ગેરકાયદે વેપાર, હેરાફેરી અને તેના નેટવર્ક પર અસરકારક નિયંત્રણ લાવવા માટે CID ક્રાઈમ હેઠળ વિશેષ એન્ટી નાર્કોટિક્સ યુનિટની રચના કરવામાં આવી છે. આ યુનિટ રાજ્યભરમાં નાર્કોટિક્સના ગેરકાયદે વ્યવસાય પર સતત ચાંપતી નજર રાખશે અને સક્રિય કાર્યવાહી કરશે.
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, CID ક્રાઈમ હેઠળ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની ઓપરેશનલ યુનિટ શરૂ કરવામાં આવી છે. આ યુનિટમાં રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓને શરૂઆતના તબક્કે ત્રણ વર્ષ માટે પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક આપવામાં આવી છે. આ તમામ કર્મચારીઓ ANTF (Anti-Narcotics Task Force) અંતર્ગત ખાસ તાલીમ અને જવાબદારી સાથે કામગીરી કરશે.
આ નિમણૂકો ગાંધીનગર ખાતે આવેલી CID ક્રાઈમ કચેરી હેઠળ કરવામાં આવી છે. રાજ્યના મોરબી, કચ્છ, પંચમહાલ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી કુલ 44 પોલીસ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. અલગ-અલગ વિસ્તારોમાંથી પસંદ કરાયેલા આ કર્મચારીઓ ડ્રગ્સના સ્ત્રોત, સપ્લાય ચેઇન અને સંડોવાયેલા નેટવર્ક પર ખાસ નજર રાખશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં યુવાધનને નશાની ચપેટમાંથી બચાવવા અને ડ્રગ્સના આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય રેકેટ પર પ્રહાર કરવા માટે આ યુનિટને વિશેષ અધિકારો અને ટેકનિકલ સહાય આપવામાં આવશે. ANTF યુનિટ દ્વારા ગુપ્તચર માહિતીના આધારે કાર્યવાહી, રેડ, ધરપકડ અને ડ્રગ્સ જપ્તી જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્રનું માનવું છે કે CID ક્રાઈમ હેઠળ કાર્યરત એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ થતાં નાર્કોટિક્સના ગેરકાયદે વેપાર પર અસરકારક અંકુશ આવશે અને રાજ્યને નશામુક્ત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

 

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
રાજકોટ

 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી

Editor By Editor 4 days ago
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?