તમારૂ સ્મિત છીનવી લે તેવું વ્રત ન કરવું: મોરારિબાપુ
કથા બકવાસ નથી, મુખવાસ છે !
પરમાત્માથી વિ-ભકત ન થાય તે જ ભકત: પાંડુરંગ શાસ્ત્રી
કોઇ તમારા વિશે ગમે તે કહે ત્યારે એક મંત્ર યાદ રાખવો: ઓમ ઇગ્નોરાય નમ:
ઓમ ઇગ્નોરાય નમ: ઓમ ઇગ્નોરાય નમ:
બિહાર રાજયના લખીસરાઇની ભૂમિ અને શ્રુંગિઋષિના વાયુ મંડળમાં પ્રવાહિત થઇ રહેલી “માનસ સૃગિરિષી“ રામકથાના પાંચમા દિવસે-ગઇકાલે-કથાના પ્રેમ સંવાદને આગળ ધપાવતા પ્રિય બાપુએ કહયું હતુ કે-શ્રુંગિઋષિમુનીને કેન્દ્રમાં રાખીને, માનસના આધારે આપણે સંવાદ કરીએ છીએ ત્યારે શ્રુંગ એટલે શિખર, ટોચ, શિખરથી શીંગ-શીંગડા થાય છે પણ અહીં શ્રુંગ એટલે શિખર, ટોચ, શિખરથી ઉપર કશુ જ ન હોય. ગામડાઓમાં હરણના શીંગ (શિંગડા) અને સાપની ચામડી-કાંયડી સુધી મનાય છે. તલગાજરડા, જયા માટીના ઘરમાં મારો જન્મ થયો ત્યાં ઉપર ખપેડામાં હરણના શીંગ હતા, હું દાદા (ગુરૂ)ને પુછતો કે દાદા, આ શું છે ! ત્યારે દાદા એમ કહેતા કે એ હરણના શીંગડા છે, તુ મોટો થઇશ ત્યારે તને એનું મહત્વ સમજાશે. દાદા રામાયણનો પાઠ કરતા એ છુટ્ટા પાનાઓની વચ્ચે સાપની કાંયળી પણ હતી…તો હરણના શીંગ અને સાપની કાંયળી એ સુકન મનાય છે અને સાપ તો મહાદેવનું જ પ્રતિક ગણાય છે.
અભાવનું પણ એક ઐશ્વર્ય હોય છે. તમારા મોરારીબાપુએ રોટલી-રોટલા સાથે માત્ર મીઠુ ખાયને દિવસો પસાર કર્યા છે એ અભાવનું ઐશ્વર્ય છે. તમે સૌ મારા છો તો એક વાત કહું ! મને મારો સ્વભાવ બહું ગમે છે. અને સત્સંગથી ધીમે-ધીમે સ્વભાવ સુધરે છે.
સરલ સ્વભાવ ન મન કુટિલાઇ
જાયા લાભ સંતોષ્ સદાઇ
તો કથા સાંભળવાથી ચોકકસ સ્વભાવ સુધરશે. કોઇ ગમે તે કહે તમારી ટીકા કરે, નિંદા કરે, ઇર્ષા કરે ત્યારે એને કોઇ જવાબ ન આપશો ત્યારે મારો એક મંત્ર યાદ કરવો ઓમ ઇગ્નોરાય નમ:, ઓમ ઇગ્નોરાય નમ:, ઓમ ઇગ્નોરાય નમ:… ઘણા લોકો કહે કે કથામાં હું નથી માનતો, ભગવાનમાં માને છે, કથાને માને છે એની કયારેય નિંદા ન કરશો. તમે ન માનો તો ન માને, પણ જે ભગવાનમાં માને છે એની કોઇ દી ટીકા કે નિંદા કરવી એ પણ ધર્મ છે.
જે સુખી છે એને કોઇપણ દુ:ખી ન કરી શકે અને જેને દુ:ખી જ થવું છે તેને કોઇપણ સુખી નથી કરી શકતું. એક સરસ પ્રસંગ છે, સાચી ઘટના છે. એક યુવક કોલેજમાં જાય છે તો એના પ્રોફેસર એમ કહે છે કે તમે માત્ર તમારા ગૃપમાં ન રહો, બીજા મીત્રો પણ બનાવો, મૈત્રીનો વિસ્તાર કરવો જોઇએ વગેરે… હવે એ કોલેજમાં એક રોઝી નામના વૃધ્ધા પંચ્યાસી વર્ષની વૃધ્ધા આવે છે પેલા યુવકને કહે છે કે મારે આ કોલેજમાં પ્રવેશ મેળવવો છે, મારે આગળ ભણવું છે. નાની વયે મારા લગ્ન થઇ ગયેલા, ભણવાનું છુટી ગયેલું ને સંસારમાં પડી ગઇ. મારા પતિનું અવસાન થયું, બે બાળકોને ભણાવ્યા, એ બંને પણ જીવનમાં સેટ થઇ ગયા છે. તો મારે હવે ભણવું છે. યુવાને તેના પ્રોફેસરને રોકીને ભલામણ કરી. પ્રોફેસરે કોલેજના પ્રિન્સીપાલને વાત કરી અને રોઝીને એ કોલેજમાં પ્રવેશ મળે છે. પછી યુનીવર્સીટીમાં દિક્ષાંત પ્રવચન માટે રોઝીને બોલાવવામાં આવે છે ત્યારે રોઝી કહે છે એ વાત આપણે સૌએ યાદ રાખવા જેવી અને સમજવા જેવી છે. રોઝી દિક્ષાંત પ્રવચનમાં કહે છે કે મિત્રો જીવનમાં કશું મેળવવું હોય તો ઉંમરનો કોઇ બાધ નથી. બીજુ જીવનમાં દિવસની પ્રવૃતિઓ દરમ્યાન અડધો કલાક હસતા રહેવું અને કયારે કયારેક રડવું પણ ખરૂ, આંસુ સારવા, અને ત્રીજુ તમે જીવનમાં દરેક વાતમાં સહમત ન થાઓ. હંમેશા (યશ મેન) ન બની રહો. જરૂર પડે ત્યાં તમે તમારી અસંમતી પણ પ્રગટ કરતા રહો આ અમેરિકાની સત્ય ઘટના છે.
ગુરૂ આપણને સાફ વાત કરે છે, માફ કરે છે, ગુરૂ પાસે આપણો ગ્રાફ હોય છે અને ગુરૂ પાસે આપણો ડ્રાફટ એટલે કે હૂડી હોય છે. મે ઘણા ઉપાસકો-સાધકોને જોયા છે. જે હંમેશા ગંભીર જ હોય છે. કયારેય હસતા જ નથી. સાધના-ઉપાસનાનું ફળ મધુર મુશ્કુરાહટ-સ્મિત છે. તમારૂ સ્મિત છીનવી લે તેવું વ્રત ન કરવું… મુસ્કુરાતે રહો, ગુનગુનાતે રહો, જીવન સંગીત હૈ, સ્વર સજાતે રહો… મુસ્કુરાતે રહો…


