By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    4 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    6 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    7 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: લાંચખોરીનો મોટો પર્દાફાશ: 20 લાખ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને વચેટિયો રંગેહાથ ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

લાંચખોરીનો મોટો પર્દાફાશ: 20 લાખ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને વચેટિયો રંગેહાથ ઝડપાયા

Editor
Last updated: 2026/04/29 at 5:03 PM
2 days ago
Share
લાંચખોરીનો મોટો પર્દાફાશ: 20 લાખ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને વચેટિયો રંગેહાથ ઝડપાયા
SHARE

લાંચખોરીનો મોટો પર્દાફાશ: 20 લાખ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને વચેટિયો રંગેહાથ ઝડપાયા

જીએસટી કેસ દબાવવા 25 લાખની માંગણી, 20 લાખમાં સેટિંગ ; એસીબીની સફળ ટ્રેપ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) વિભાગના એક સુપ્રીન્ટેન્ડન્ટ અને તેમના વચેટિયાને ₹20 લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આ કેસે શહેરમાં લાંચખોરીના વધતા દોર પર ફરીથી ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિક વિરુદ્ધ CGST કચેરીમાં જીએસટી ન ભરવા અને ખોટા બિલ બનાવવાના આક્ષેપો સાથે અરજી નોંધાઈ હતી. આ અરજીને આધારે મોટો કેસ નોંધાય તેવી શક્યતા હતી. આરોપી સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે આ પરિસ્થિતિનો લાભ લઈ કેસ ન નોંધાય તે માટે ₹25 લાખની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી અને અધિકારી વચ્ચે થયેલી વાતચીત બાદ રકમ ₹20 લાખ પર નક્કી થઈ હતી. આ રકમ સીધી ન લઈ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશ કલોલીયા મારફતે સ્વીકારવાની યોજના બનાવવામાં આવી હતી, જે સમગ્ર ગેરકાયદેસર વ્યવહારનો વચેટિયો બન્યો હતો.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. માહિતીના આધારે એસીબીની ટીમે ગત દિવસે રાજકોટના એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલા એક કોમ્પ્લેક્ષમાં ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન આકાશ કલોલીયાએ મુકેશકુમારના વતી ફરીયાદી પાસેથી ₹20 લાખની લાંચ સ્વીકારી હતી. રૂપિયા હાથમાં લેતા જ એસીબીની ટીમે ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓને રંગેહાથ પકડી લીધા હતા. અને સ્થળ પરથી લાંચની સંપૂર્ણ રકમ જપ્ત કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી એસીબી રાજકોટ શહેરના પીઆઈ એ.એ. ખોખરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. ટીમમાં પી.એ. દેકાવાડિયા સહિતના અધિકારીઓ જોડાયા હતા. મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ સમગ્ર ટ્રેપ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.
આ પહેલો બનાવ નથી. અગાઉ પણ CGST વિભાગના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. થોડા સમય પહેલા એક ઇન્સ્પેક્ટરે ખાનગી કંપનીના જીએસટી નંબર માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી ₹5 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો. તે જ રીતે, એક યુવાન જે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતો હતો, તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ CGST ઇન્સ્પેક્ટરે ₹5 હજારની લાંચ માગી હતી અને રેસકોર્સ વિસ્તારમાં લાંચ લેતા એસીબીએ તેને ઝડપી લીધો હતો. આ તમામ બનાવો દર્શાવે છે કે નાનીથી મોટી દરેક સ્તરે લાંચખોરીનો વ્યાપ વધતો જાય છે. આ કેસમાં ફરિયાદી દ્વારા હિંમતપૂર્વક એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો, જેના કારણે મોટી કાર્યવાહી શક્ય બની. જો વધુ નાગરિકો આવી રીતે આગળ આવી ફરિયાદ કરે તો ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવી શકાય છે. રાજકોટમાં થયેલી આ ટ્રેપ કામગીરી ભ્રષ્ટાચાર સામે એક મજબૂત સંદેશ આપે છે કે કાયદો દરેક માટે સમાન છે. જોકે, આવી ઘટનાઓને અટકાવવા માટે માત્ર ટ્રેપ પૂરતો નથી, પરંતુ તંત્રમાં પારદર્શિતા અને કડક દેખરેખ જરૂરી છે. આગામી સમયમાં આવા કેસોમાં ઝડપી કાર્યવાહી અને કડક સજા થવી જોઈએ જેથી લાંચખોરીના દોરને અટકાવી શકાય અને સામાન્ય નાગરિકોનો વિશ્વાસ ફરીથી મજબૂત બને.

 

You Might Also Like

ભાજપનો દબદબો યથાવત, વિપક્ષ માટે પડકારજનક સમય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે વતન ગુજરાતની મુલાકાતે

બાલાજી વેફર્સે બજારમાં મૂકયા પાંચ રૂપિયાવાળા જાલમૂરી

મેડિકલ પ્રવેશની UG NEET અને શિક્ષક માટેની TATની રવિવવારે લેવાશે પરીક્ષા

આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા મતદારોને લોકશાહીની ફરજ નિભાવવા અપીલ
રાજકોટ

 મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા મતદારોને લોકશાહીની ફરજ નિભાવવા અપીલ

Editor By Editor 6 days ago
જખૌના દરિયામાંથી 3૮૦ કરોડના હેરોઇન કેસમાં છ પાકિસ્તાની આરોપીને ૧૦ વર્ષની સજા
ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી
લોકગાયક કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, PI બી.એમ.ચૌધરીને ગુજરાત હાઇકોર્ટની નોટીસ
અમદાવાદમાં શાંગરીલા-૨ આર્કેડમાં ભીષણ આગ, ફસાયેલા 3૦થી વધારે લોકોનું રેસ્કયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?